ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી

ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે, આ બન્ને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ જ્યા સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલમાં ના જાય.

ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:10 PM

ભારત સરકારના વિદેશ વિભાગે, ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બન્ને દેશની વર્તમાન સ્થિતિને જોતા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી બીજી સૂચના ના મળે ત્યાં સુધી ઈરાન અથવા ઈઝરાયેલની યાત્રા ના કરે.

આની સાથોસાથ એમ પણ જણાવવામા આવ્યું છે કે, ઈઝરાયેલ અથવા ઈરાનમાં રહેતા લોકોને અપિલ કરવામાં આવી છે કે તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. આ બન્ને દેશમાં વસતા ભારતીયોએ તેમની સલામતી વિશે અત્યંત સાવચેત રહેવું અને તમારી પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

વર્ષોથી એક બીજાના કટ્ટર દુશ્મન રહેલા ઈરાન અને ઈઝરાયેલ હાલમાં આમને-સામને આવ્યા છે. ઈરાનના દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈરાન આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માની રહ્યું છે, જ્યારે ઈઝરાયેલ આ હુમલાનો ઈન્કાર કરી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ઈરાન આગામી 24થી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર અને તેના કેટલાક સભ્યો 1 એપ્રિલના રોજ દૂતાવાસ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ઈઝરાયેલના સરહદી વિસ્તારને નિશાન બનાવી શકે છે ઈરાન

વિદેશી મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ઈરાન પહેલા ઈઝરાયેલના સરહદી વિસ્તારને નિશાન બનાવી શકે છે. હાલમાં બંને દેશોની સેના સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈરાન તરફથી હુમલાની શક્યતાને જોતા અમેરિકા પણ એલર્ટ થઈ ગયું છે. ઈરાનના દૂતાવાસ પર જ્યારે હુમલો થયો ત્યારે તેના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું હતું કે, તેઓ આ હુમલાનો જવાબ આપશે. આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ સહિત 13 લોકો માર્યા ગયા હતા. જેમાં વરિષ્ઠ જનરલ મોહમ્મદ રઝા ઝાહેદી અને તેમના નાયબ અધિકારીનો પણ સમાવેશ થાય છે.

નેતન્યાહુએ કહ્યું- અમે જાણીએ છીએ કે કેવી રીતે બચાવ કરવો

ઈરાનના યુદ્ધલક્ષી વલણને જોઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે કેવી રીતે અમારો બચાવ કરવો અને અમે તે કરીશું. જો કોઈ આપણને નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે, તો અમે તેને પણ નુકસાન પહોંચાડીશું. નેતન્યાહુની આ પ્રતિક્રિયા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યાં છે.

કોણ કેટલું શક્તિશાળી ?

હથિયારોના મામલે ઈઝરાયેલને ઈરાન કરતા વધુ શક્તિશાળી માનવામાં આવે છે. ઈઝરાયેલ પાસે 600 થી વધુ એરક્રાફ્ટ છે. જ્યારે ઈરાન પાસે 541 એરક્રાફ્ટ છે. ફાઈટર જેટની વાત કરીએ તો અહીં પણ ઈઝરાયેલ ઈરાન કરતા આગળ છે. ઈઝરાયેલ પાસે લગભગ 341 ફાઈટર પ્લેન છે જ્યારે ઈરાન પાસે લગભગ 200 ફાઈટર પ્લેન છે. ઈઝરાયેલ પાસે 48 એટેક હેલિકોપ્ટર છે જ્યારે ઈરાન પાસે માત્ર 12 કોમ્બેટ હેલિકોપ્ટર છે. ટેન્કની વાત કરીએ તો ઈરાન ઈઝરાયેલ કરતા વીસ ગણું આગળ છે. ઈઝરાયેલ પાસે લગભગ 2200 ટેન્ક છે જ્યારે ઈરાન પાસે 4071 ટેન્ક છે.

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">