AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાનમાં 7 કલાકમાં 70 વાર ધરા ધ્રૂજી, અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા, ભૂકંપ બાદ ગંભીર સુનામીનો ખતરો

ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારમાં બુલેટ ટ્રેન રોકી દેવામાં આવી હતી, જોકે સાંજ સુધીમાં કેટલાક ભાગોમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં કેટલીક સેલ ફોન સેવાઓ પણ કામ કરતી ન હતી. હવામાન એજન્સીએ રાષ્ટ્રીય ટેલિવિઝન સમાચાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે પ્રદેશમાં વધુ મોટા ભૂકંપ આવી શકે છે.

જાપાનમાં 7 કલાકમાં 70 વાર ધરા ધ્રૂજી, અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા, ભૂકંપ બાદ ગંભીર સુનામીનો ખતરો
| Updated on: Jan 02, 2024 | 8:00 AM
Share

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ પણ સતત આફ્ટર શોક નોંધાઇ રહ્યા છે. જેના કારણે જાપાનના લોકો હજુ પણ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. અહીં ભૂકંપ બાદ ગંભીર સુનામીનો ખતરો પણ તોળાઇ રહ્યો છે.દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. લગભગ 1 લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અન્યત્ર સ્થળાંતર કરવાનો આદેશ અપાયો છે. ભૂકંપે સૌથી વધુ વિનાશ ઇશિકાવા, નિગાતા, ફુકુઇ, તોયામા અને ગીફુ પ્રીફેક્ચર્સમાં વેર્યો છે.

ભૂકંપ બાદ ગંભીર સુનામીનો ખતરો

જાપાનમાં નવા વર્ષે જ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નવાઇની વાત એ છે કે સાત કલાકમાં 60 આંચકા આવ્યા હતા. માત્ર 2 કલાકમાં જ 40 આંચકા અનુભવાયા હતા.હવે સુનામીનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને તેમના ઘરે પરત ન ફરવા જણાવવામાં આવ્યુ છે, કારણ કે જીવલેણ મોજા હજુ પણ અથડાઈ શકે છે.

ભૂકંપના કારણે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પશ્ચિમ કિનારે આગ અને ઇમારતો ધરાશાયી થઈ હતી.જાપાનની હવામાન એજન્સીએ સોમવારે સ્થાનિક સમયાનુસાર સાંજે 4 વાગ્યા પછી ઇશિકાવા અને આસપાસના પ્રીફેક્ચરના દરિયાકિનારે જાપાનના સમુદ્રમાં એક ડઝનથી વધુ મજબૂત ભૂકંપની જાણ કરી હતી.

જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ માહિતી આપી હતી કે ધરતીકંપથી લગભગ છ મકાનોને નુકસાન થયું છે અને લોકો અંદર ફસાયેલા છે. તેમણે માહિતી આપી કે ઇશિકાવા પ્રીફેક્ચરના વાજિમા શહેરમાં આગ ફાટી નીકળી હતી અને 30,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

સલામત સ્થળે જવા સૂચના

હવામાન એજન્સીએ ઇશિકાવા , હોન્શુના બાકીના પશ્ચિમ કિનારા તેમજ દેશના સૌથી ઉત્તરીય મુખ્ય ટાપુ હોક્કાઇડો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. હયાશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો માટે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર જવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે દરેક મિનિટ મહત્વની છે, તેથી લોકોએ તરત જ સુરક્ષિત સ્થળે જવુ જોઇએ.

આફ્ટરશોકનો ભય

ભૂકંપના કલાકો પછી આફ્ટરશોક્સ અનુભવાયા હતા.જેથી લોકોને સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ થોડા દિવસો રોકાવાનું રહેશે. જાપાની સૈન્ય બચાવ કાર્યમાં ભાગ લઈ રહ્યું છે. આ વિસ્તારમાં બુલેટ ટ્રેન રોકી દેવામાં આવી હતી, જોકે સાંજ સુધીમાં કેટલાક ભાગોમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં કેટલીક સેલ ફોન સેવાઓ પણ કામ કરતી ન હતી. હવામાન એજન્સીએ રાષ્ટ્રીય ટેલિવિઝન સમાચાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે પ્રદેશમાં વધુ મોટા ભૂકંપ આવી શકે છે.

આ પણ વાંચો-વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરશે PM, પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો વિગત

અમેરિકા મદદ કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડને એક નિવેદનમાં કહ્યું કે તેમનું પ્રશાસન જાપાની અધિકારીઓના સંપર્કમાં છે અને જાપાનના લોકોને કોઈપણ જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. માર્ચ 2011માં જાપાનમાં પરમાણુ પ્લાન્ટની નિષ્ફળતાના કારણે મોટા ધરતીકંપ અને સુનામીને કારણે સોમવારની તીવ્રતાની સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી.

g clip-path="url(#clip0_868_265)">