Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

વિશ્વભરમાં આતંકવાદી સંગઠન ISIS એ ફરી એક વખત હુમલા કરવાનુ (Attack)શરૂ કર્યુ છે. ત્યારે રવિવારે ઇરાક પર હુમલો કરવામાં આવ્યો છે, જેને આ વર્ષનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.

Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત
ISIS attack on Iraq
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:05 PM

Attack In Iraq :  વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS એ ઇરાકના ઉત્તરમાં આવેલા કિરકુક શહેરમાં ચેકપોઇન્ટ પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સુરક્ષા સંબંધિત સૂત્રોએ આ હુમલાની પુષ્ટિ કરી છે. ત્યારે ઇરાક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, “આ હુમલો રવિવારે વહેલી સવારે થયો હતો. ISIS ના આતંકવાદીઓ સતત ઇરાકની પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યા છે.” આ હુમલાને (Attack) આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલો કિરકુક શહેરના અલ-રશાદ વિસ્તારમાં થયો હતો. અધિકારીએ આ હુમલા અંગે જણાવ્યુ કે, “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને (Fedaral police Staion)નિશાન બનાવી છે. જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. જો કે ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી.”

ISIS સતત ઈરાક પર હુમલા કરી રહ્યું છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઈરાકની સરકારે 2017 ના અંતમાં જણાવ્યુ હતું કે તેણે આતંકવાદી સંગઠન  ISISને હરાવી દીધું છે, પરંતુ તેની પાસે સ્લીપર સેલ છે જેની મદદથી તે સુરક્ષા દળો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. આતંકવાદીઓ ઉત્તરીય ઇરાકમાં ઇરાકી સૈન્ય અને પોલીસને (Police)નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 19 જુલાઈના રોજ, ISIS એ સદર શહેરના અલ-વોહલેટ બજાર પર હુમલો કર્યો હતો અને સત્તાવાર રીતે જવાબદારી લીધી હતી. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા.

ISIS ને હરાવવાનો પ્રયાસ

ઈરાકમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધન સૈનિકોની સંખ્યા હાલમાં 3,500 છે, જેમાંથી 2,500 યુએસ સૈનિકો છે. આ તમામ સૈનિકો ISIS ને હરાવવાના પ્રયાસોમાં રોકાયેલા છે. પરંતુ અમેરિકી સરકારે (America)તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે આ દેશમાંથી તેના સૈનિકોને ઘટાડશે. જે બાદ યુએસ મિલિટરીનું કામ માત્ર ઇરાકી સુરક્ષા દળોને તાલીમ અને સલાહ આપવાનું રહેશે. 29 ઓગસ્ટના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને  (President Emanuel Macron)ઇરાકી કુર્દિસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે ઇરાક અને સીરિયા બંનેમાં ISISના આતંક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: New Zealandમાં 6 મહિના બાદ કોરોનાથી પ્રથમ મોત, સરકારે લાગુ કર્યા કડક પ્રતિબંધ

આ પણ વાંચો: પાકિસ્તાનને અર્થવ્યવસ્થા સાચવવાના પણ ફાંફા, ઈમરાન ખાનની પ્રજાને ટેક્સ ભરવા અપીલ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">