AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US: BAPS સ્વામિનારાયણ મંદિર સામેના ઈન્ટરનેશનલ ષડયંત્રનો પર્દાફાશ, કારીગરો પર દબાણ કરી કરાવ્યો હતો કેસ, જુઓ Video

આ કારીગરોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ જ્યાં સેવા આપતા હતા ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તેમની સાથે પ્રેમ અને લાગણીથી વર્તે છે. તેમની સારી રીતે કાળજી લેવામાં આવી હતી. જ્યારે BAPS મંદિર દ્વારા તેમના પરિવારને પણ અનેક સેવાઓ પુરી પાડવામાં આવે છે.

US: BAPS સ્વામિનારાયણ મંદિર સામેના ઈન્ટરનેશનલ ષડયંત્રનો પર્દાફાશ, કારીગરો પર દબાણ કરી કરાવ્યો હતો કેસ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 3:24 PM
Share

રાજસ્થાનના સિરોહી સ્થિત સંગઠન પથ્થર ગડાઈ સંઘ (PGS), જે ભારતીય મઝદૂર સંઘ સાથે જોડાયેલ છે, તેને 13 જુલાઈએ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે ન્યૂ જર્સીના રોબિન્સવિલે અક્ષરધામ મંદિરમાં કામ કરતા કારીગરોના જૂથ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. આરોપો દબાણ હેઠળ લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video : દ્વારકાના જગત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, ધર્મ, સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા કરાઈ અપીલ

આ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા કારીગરોએ હવે BAPS સંપ્રદાયના મંદિર સામે ન્યૂ જર્સીની કોર્ટમાં દાખલ કરાયેલી સિવિલ ફરિયાદમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

110 કારીગરોને બાંધકામ સ્થળ પરથી લઈ ગયા હતા

મે 2021માં ન્યુ જર્સીની કોર્ટમાં અધિકારોના ઉલ્લંઘન માટે સિવિલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ની એક ટીમ અન્ય એજન્સીઓ સાથે 11 મે, 2021ના ​​રોજ મંદિર પરિસરમાં આવ્યા હતા અને 134માંથી 110 કારીગરોને બાંધકામ સ્થળ પરથી લઈ ગયા હતા. જાતિના આધારે ભેદભાવ, ઓછું વેતન અને અયોગ્ય કામ કરવાની પરિસ્થિતિઓનો આરોપોનો સમાવેશ થાય છે.

સ્વાતિ સાવંત નામના વકીલે ગેરમાર્ગે દોર્યા

સ્ટોનક્યુટર યુનિયનના જનરલ સેક્રેટરી પ્રભુરામ મીણા દ્વારા હસ્તાક્ષર કરાયેલા રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે 12 સ્વયંસેવકોને અરજદાર તરીકે જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આમાંથી કેટલાક કારીગરોએ સ્વયંસેવકોએ એડવોકેટ આદિત્ય એસબી સોનીનો સંપર્ક કર્યો હતો અને તેમને જાણ કરી છે કે યુએસમાં સ્વાતિ સાવંત નામના વકીલે તેમને ફરિયાદ કરવા માટે ગેરમાર્ગે દોર્યા છે અને તેઓ હવે આ કેસમાંથી પાછા ખસી જવા માંગે છે, એમ રિલીઝમાં જણાવાયું છે.

પરિવારને પણ અનેક સેવાઓ પુરી પાડવામાં આવે

‘આ કારીગરો ઘણા વર્ષોથી ભારત અને અમેરિકામાં આવા BAPS મંદિરો માટે તેમની સેવાઓ આપી રહ્યા છે. આટલા સમય દરમિયાન, તેઓએ BAPS મંદિરો દ્વારા ક્યારેય કોઈ દબાણ, કોઈપણ જાતિવાદ કે ભેદભાવનો અનુભવ કર્યો નથી. આ કારીગરોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ જ્યાં સેવા આપતા હતા ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તેમની સાથે પ્રેમ અને લાગણીથી વર્તે છે. તેમની સારી રીતે કાળજી લેવામાં આવી હતી. જ્યારે BAPS મંદિર દ્વારા તેમના પરિવારને પણ અનેક સેવાઓ પુરી પાડવામાં આવે છે.

નાગરિકતાનું વચન આપીને ફસાવવામાં આવ્યા હતા

પ્રકાશનમાં જણાવ્યું હતું કે કારીગરો સત્ય કહેવા માટે ખૂબ ડરી ગયા હતા, કારણ કે સાવંતે કથિત રીતે તેમને પોલીસ કાર્યવાહી અને આખરે જેલના સળીયા પાછળ મોકલવાની ધમકી આપી હતી. આ કારીગરોને સાવંતે કથિત રીતે અમેરિકી નાગરિકતાનું વચન આપીને ફસાવવામાં આવ્યા હતા.

કોર્ટમાંથી પોતાનો દાવો પાછો ખેંચી લીધો

આ કારીગરોમાંથી એક ડઝનથી વધુએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેવા અને કેસમાંથી તેમના નામ દૂર કરવાનો નિર્ણય લીધો અને યુએસ કોર્ટ અને વકીલોને સૂચિત કરવામાં આદિત્ય સોનીની મદદ માંગી હતી. કારીગર હવે આ બાબતમાંથી ખસી ગયા છે અને સ્વેચ્છાએ કોર્ટમાંથી પોતાનો દાવો પાછો ખેંચી લીધો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">