LAC પર તણાવની સ્થિતિ વચ્ચે ભારત અને જાપાનની નૌસેનાએ હિંદ મહાસાગરમાં કર્યો યુદ્ધ અભ્યાસ
ચીન અને ભારત વચ્ચે સીમા પર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે જાપાનની નેવી સાથે ભારતીય નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. બંને દેશની નૌસેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જાપાનની સમુદ્રી સેલ્ફ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે આ યુદ્ધ અભ્યાસ બંને દેશની સૈન્ય સમજણમાં વધારો કરશે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]
ચીન અને ભારત વચ્ચે સીમા પર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે જાપાનની નેવી સાથે ભારતીય નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. બંને દેશની નૌસેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જાપાનની સમુદ્રી સેલ્ફ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે આ યુદ્ધ અભ્યાસ બંને દેશની સૈન્ય સમજણમાં વધારો કરશે.
આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતોને ડીઝલમાં સબસિડી મળશે કે નહીં? જાણો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો જવાબ
ભારત અને જાપાન વચ્ચે નૌસેના યુદ્ધ અભ્યાસ કોઈ નવી વાત નથી કારણ તે ચાલુ જ રહે છે. જો કે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે તેને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. ભારતીય નૌસેના વાઈસ એડમિરલે કહ્યું કે આપણે આપણાં મિત્રોની વધુ નજીક જવાની જરૂર છે અને ચીન જાણે છે કે તેને જાપાન અને અમેરિકા સાથે સંબંધ સારા નથી. ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં ભારતીય અને જાપાનીઝ નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતીય નૌસેના 2 જહાજ અને જાપાનની નૌસેનાના 2 જહાજ આ યુદ્ધ અભ્યાસમાં જોડાયા હતા. ભારતના આઈએનએસ રાણા અને આઈએનએસ કુલિશે ભાગ લીધો હતો તો જાપાનના જેએસ કશિમા અને જેએસ શમાયુકીએ હાજરી નોંધાવી હતી. નવી દિલ્હી ખાતે જાપાનના રાજદૂતે કહ્યું કે છેલ્લાં 3 વર્ષમાં આ 15મો યુદ્ધ અભ્યાસ છે. દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે આ અભ્યાસનું મહત્વ સંચાર પ્રશિક્ષણનું છે. આમ ભારત અને ચીન વચ્ચેની તણાવની સ્થિતિ છે ત્યારે આ યુદ્ધ અભ્યાસ ઘણું મહત્વ રાખે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]