ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખરનો પાક પીએમ ઈમરાન ખાન પર કટાક્ષ, ‘તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા’

IT રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે પાક પીએમ પર કટાક્ષ કર્યો હતો. તેમનું આ નિવેદન ઈમરાન ખાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારત કરતા સારી છે.

ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખરનો પાક પીએમ ઈમરાન ખાન પર કટાક્ષ, 'તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા'
Pakistan PM Imran Khan - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:57 PM

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે (Rajiv Chandrashekhar) બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનના (Pakistan) પીએમ ઈમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ભારતની તુલનામાં સારી છે, આનો જવાબ આપતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પાક પીએમ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “હા કારણ કે તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે માત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર, યુનિકો અને એફડીઆઈ છે.

એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે ઈસ્લામાબાદમાં ઈન્ટરનેશનલ ચેમ્બર્સ સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેમની સરકારને સત્તા મળી ત્યારે તેમની સામે ઘણા પડકારો હતા. રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને કહ્યું હતું કે આ ત્રણ વર્ષમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભારત સહિત ઘણા દેશોની સરખામણીમાં સુધારો થયો છે. કાર્યક્રમમાં ઈમરાન ખાને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા પાકિસ્તાનને દુનિયાના ગરીબ દેશોમાં સામેલ કરવું અસંગત છે. તેમની સરકારે પાકિસ્તાનને અનેક સંકટમાંથી બચાવ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશની મોટી વસ્તી આ દિવસોમાં વધતી મોંઘવારીથી પરેશાન છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ વધતી મોંઘવારીને લઈને ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. હકીકતમાં પાકિસ્તાન સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની ભલામણો લાગુ કરી છે. આ સાથે મિની બજેટનો અમલ થવા જઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેના કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. ભૂતકાળમાં પાકિસ્તાન સરકારના ઘણા નિર્ણયોને કારણે, ઘણી વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયો બાદ જ્યાં સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. જે અંતર્ગત વિપક્ષી પાર્ટીઓએ ઈમરાન ખાનના રાજીનામાની માંગ કરી છે.

ઈમરાન ખાનને ટોણો મારતા બુધવારે રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પંજાબનું રાજકારણ ગરમાઈ શકે છે. વાસ્તવમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખની ભૂમિકામાં છે. આ પહેલા પણ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે ઘણી વખત નિવેદન આપી ચુક્યા છે. જે બાદ ભાજપે તેમને ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં જો સિદ્ધુ રાજીવ ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કરે છે તો પંજાબનું રાજકારણ ગરમાય તે નિશ્ચિત છે.

આ પણ વાંચો –

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

આ પણ વાંચો –

યમનના હુતી વિદ્રોહીઓએ UAEનું જહાજ કબજે કરતા 11માંથી 7 ભારતીય કેદ, તમામ લોકોની મુક્તિ માટે પગલા લેવાવાના શરૂ

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">