India Hormuz Plan: ભારત માટે ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ટ્રમ્પ ન કરી શક્યા એ ભારત કરી બતાવશે?
ઈરાન યુદ્ધ વચ્ચે પહેલીવાર ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી ફરી તેલના ટેન્કર ભરવાની તૈયારી કરી રહ્યુ છે. સરકારની મંજૂરી મળતા જ ભારતીય જહાજો ખાડી દેશોમાંથી કાચુ તેલ અને ગેસ લાવવાના મિશન પર નીકળી શકે છે.

ભારત ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે પશ્ચિમ એશિયા પાસેથી તેલ અને ગેસની સપ્લાઈ શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયુ છે. રિપોર્ટ અનુસાર ભારતે મિડલ ઈસ્ટમાંથી ઊર્જા કાર્ગો લાવવા માટે જહાજ મોકલવાની યોજના લગભગ તૈયાર કરી લીધી છે. સરકારની અંતિમ મંજૂરી મળતા જ ભારતીય ટેન્કર હોર્મુઝ ના રસ્તે ખાડી ક્ષેત્ર તરફ રવાના થઈ શકે છે.
બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર એવુ થશે કે જ્યારે ભારત અત્યંત સંવેદનશીલ સમુદ્રી માર્ગેથી મોટ પાયે તેલની સપ્લાઈ બહાર કરવાની કોશિશ કરશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ પૈકી ગણાય છે. જ્યાંથી વૈશ્વિક તેલ સપ્લાઈનો લગભગ 20 % હિસ્સો નીકળે છે. પરંતુ જ્યારથી ઈરાન અમેરિકા યુદ્ધ શરૂ થયુ છે ત્યારથી આ રસ્તે થનારી આવનજાવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયુ છે.
સૂત્રો અનુસાર આ યોજનાને અંતિમ રૂપ દેવામાં આવ્યુ છે અને જહાજોની તૈયારી શરૂ કરી દેવાઈ છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ પણ ખાડી દેશોમાં ફરીથી ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જો કે તેના માટે ભારતીય નૌસેના અને સરકાર અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
ભારત તેની ઊર્જા આપૂર્તિ માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર
ભારત માટે આ પગલુ ઘણુ જ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યુ છે કારણ કે દેશ તેની ઊર્જાની જરૂરિયાત માટે હવે મોટા પાયે પશ્ચિમ એશિયાઈ તેલ ઉત્પાદકો પર નિર્ભર છે. રશિયાથી તેલ ખરીદી વધારવા ઉપરાંત મિડલ ઈસ્ટથી આવનારુ તેલ ભારત માટે સસ્તુ અને જલદી પહોંચનારો વિકલ્પ મનાય છે. વૈકલ્પિક સપ્લાય રૂટ ન માત્ર મોંઘો પડશે પરંતુ તેમા સમય પણ વધુ લાગી રહ્યો છે.
આ વચ્ચે ભારતે સુરક્ષા તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર ભારતીય નૌસેના વિસ્તારમાં તેમના યુદ્ધ પોતની સંખ્યા બેગણી કરી દીધી છે અને હવાઈ દેખરેખ પણ વધારી દીધી છે. ભારતીય યુદ્ધપોત એ જહાજોને એસ્કોર્ટ કરી રહ્યા છે જે હોર્મુઝથી સુરક્ષિત બહાર નીકળે છે અથવા ભારત તરફ આવે છે.
ભારતે શોધ્યો હોર્મુઝ સંકટનો હલ
ભારત વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ ના રસ્તે જહાજ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટના સપ્લાયરો પાસેથી કાચુ તેલ અને ઊર્જા કાર્ગોની સપ્લાઈ સુનિશ્ચિત કરવાનું છે. ઈરાન યુદ્ધના કારણે પેદા થયેલી બાધાઓ ગ્લોબલ એનર્જી માર્કેટ પર સતત દબાણ લાવી રહી છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. આ ઘટનાથી પરિચિત લોકોના હવાલાથી એજન્સીએ આ રિપોર્ટ આપી છે. જોકે હજુ એ સસ્પેન્સ બનેલુ છે કે ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવા માટે ઈરાન કે અમેરિકાએ સહમતી આપી છે કે નહીં. બંને દેશ સ્ટ્રેટ ની અંદર અને આસપાસ પોત-પોતાની રીતે કંટ્રોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે આ યોજનાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે. સરકાર પાસેથી અંતિમ મંજૂરી મળતા જ ભારતીય જહાજ આ સાંકડી સમુદ્ર ધુનીને પાર કરવાના પ્રયાસ શરૂ કરશે.
જો કે રિપોર્ટમાં જેનો ઉલ્લેખ કરાયો છે, તેમને શિપમેન્ટના સમય અથવા તો આ રસ્તેથી આવનારા કાર્ગોની માત્રા વિશે કોઈ ખાસ જાણકારી નથી આપી.
હોર્મુઝમાં ભારત બતાવશે તેનો દમ
શિપિંગ કોર્પોરેશનના જહાજ હોર્મુઝ સંકટને પાર કરતા ખાડી દેશો સાથે તેલ અને ગેસનો જથ્થો લેવા માટે જશે. યુદ્ધ શરૂ થયા બાદ ભારત પહેલો દેશ હશે, જે હોર્મુઝ સંકટ વચ્ચે તેના જહાજોને મોકલશે. જો આ યોજના સફળ રહી તો ભારત માટે તેલ અને ગેસ સંકટ ખતમ થઈ જશે. ભારત માટે ખાડી દેશોથી તેલની સપ્લાઈ શરૂ થઈ જશે.
ત્રીજો સૌથી મોટો ક્રુડ ઈમ્પોર્ટર છે ભારત
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો કાચા તેલનો આયાતક દેશ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને અન્ય સપ્લાયર દેશો સાથે ખરીદી વધારવા ઉપરાંત ખાડી ક્ષેત્રમાં થનારી એનર્જી સપ્લાઈ પર જ નિર્ભરતા રહેલી છે. રિપોર્ટ અનુસાર સરકાર હસ્તકની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ફારસની ખાડીમાં તેનુ પરિચાલન ફરી શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને ભારતીય નૌસેના દ્વારા મંજૂરી મળી જાય અને ઘરેલુ તેલ રિફાઈનરી થી કોમર્શિયલ ઓર્ડર હાસિલ થાય.
જો કે હજુ એ વાતને લઈને અનિશ્ચિતતા બનેલી છે કે શું ઈરાન કે અમેરિકા એ ભારતીય જહાજો ને સુરક્ષિત માર્ગ દેવા પર ઔપચારિક રીતે સહમતી દર્શાવી છે. આ બંને દેશ સ્ટ્રેટની અંદર અને તેની આસપાસ અલગ અલગ પ્રકારના પ્રતિબંધ અને સૈન્ય નાકાબંધી લાગુ કરી રહ્યા છે.
ઈરાન અને ભારતની થઈ વાતચીત
આ ઘટનાક્રમ વિદેશ મંત્રી એસ જયશંકરની દિલ્હીમાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ઈરાની વિદેશ મંત્ર અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કર્યા બાદ થોડા દિવસો પછી સામે આવી છે. બંને નેતાઓ એ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સાથે સમુદ્રી વેપાર અને ઊર્જા સુરક્ષા પર તેના પડનારા પ્રભાવ પર ચર્ચા કરી. જેમા હોર્મુઝની હાલની સ્થિતિ સામેલ હતી.
આ મુલાકાત બાદ અરાઘચીએ કહ્યુ કે ઈરાન જળમાર્ગથી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરવા પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ઈરાની મંત્રીએ કહ્યુ હતુ કે ઈરાન હંમેશા હોર્મુઝમાં સુરક્ષા ના રક્ષક તરીકે તેના ઐતિહાસિક કર્તવ્યનું પાલન કરતુ રહેશે.
તેમણે વધુમાં કહ્યુ “ઈરાન તમામ મિત્ર રાષ્ટ્રોનું એક વિશ્વાસપાત્ર ભાગીદાર છે, જે તેની વ્યાપારિક સુરક્ષા માટે ઈરાન પર સંપૂર્ણ રીતે ભરોસો કરી શકે છે.” આ નિવેદન દ્વારા તેમણે ભારત જેવા એ દેશોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો. જે તેલ સપ્લાઈમાં આવનારી બાધાઓને લઈને ચિંતિત છે.
તેમણે આગળ કહ્યુ “અમે અનેક ભારતીય જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે, તમામ જહાજો સુરક્ષિત પસાર થાય એ અમારી નીતિ છે. અમારા હિતમાં પણ છે. સાથે જ અમેરિકા તરફથી નાકાબંધી અને તેની આક્રમક્તાને કારણે આ વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ છે.
તેમણે વધુમાં કહ્યુ “ઈરાન તમામ મિત્ર રાષ્ટ્રોનું એક વિશ્વાસપાત્ર ભાગીદાર છે, જે તેની વ્યાપારિક સુરક્ષા માટે ઈરાન પર સંપૂર્ણ રીતે ભરોસો કરી શકે છે.” આ નિવેદન દ્વારા તેમણે ભારત જેવા એ દેશોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો. જે તેલ સપ્લાઈમાં આવનારી બાધાઓને લઈને ચિંતિત છે.
તેમણે આગળ કહ્યુ “અમે અનેક ભારતીય જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે, તમામ જહાજો સુરક્ષિત પસાર થાય એ અમારી નીતિ છે. અમારા હિતમાં પણ છે. સાથે જ અમેરિકા તરફથી નાકાબંધી અને તેની આક્રમક્તાને કારણે આ વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ છે.
ઈરાની અધિકારીઓએ પહેલા સંકેત આપ્યા હતા કે તહેરાન ભારત સહિત મિત્ર દેશો સાથે મળીને કામ કરશે જેથી ચાલી રહેલા તણાવ છતા હોર્મુઝના રસ્તે કોમર્શિયલ આવનજાવનને સરળ બનાવી શકાય.
