ભારતે અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટની કરી નિંદા, પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું- અમે તમારી સાથે ઉભા છીએ
Afghanistan: ઉત્તરીય ભાગમાં શિયા મુસ્લિમ નમાઝીઓથી ભરેલી મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
Afghanistan: અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં શિયા મુસ્લિમ નમાઝીઓથી ભરેલી મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં (Shia Mosque Blast) 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. ભારતે આ આતંકવાદી (Terrorism) ઘટનાની નિંદા કરી છે અને મુશ્કેલીના આ સમયમાં સાંત્વના વ્યક્ત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતે આતંકવાદ સામે લડવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી છે. ભારતે કહ્યું છે કે, તેને આશા છે કે આ ઘટનાના ગુનેગારોને પકડી લેવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે સજા કરવામાં આવશે. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
અફઘાનિસ્તાનમાં વારંવાર મોટા બોમ્બ હુમલા થાય છે. જેમાં મસ્જિદો અને શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે દેશના ઉત્તરીય ભાગમાં એક મસ્જિદની અંદર આત્મઘાતી હુમલો થયો (Mosque Bombing in Afghanistan). જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે (Afghanistan Bomb Blast Latest News). ઇસ્લામિક સ્ટેટ ખોરાસન એટલે કે ISIS-K અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની એક શાખા છે.
કુન્દુઝ પ્રાંતના નાયબ પોલીસ વડા દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ કહ્યું કે, મોટાભાગના લોકો માર્યા ગયા છે. ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓનો અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમ લઘુમતી પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ છે (Mosque Explosion in Afghanistan). આ હુમલામાં શિયા મુસ્લિમોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. નાયબ પોલીસ વડાએ કહ્યું કે, આ હુમલો આત્મઘાતી હુમલાખોરે કર્યો હોઇ શકે છે, જે પૂજારીઓ સાથે ભળી ગયો હતો.
ભારતે કહ્યું – અમે અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભા છીએ
સોમવારે જાહેર કરાયેલા નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારત અફઘાનિસ્તાનના કુન્દુઝમાં એક શિયા મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે, જેમાં 100 થી વધુ અફઘાનીઓ માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.” અમે પીડિતોના પરિવારોને તેમના મુશ્કેલ સમયમાં સંવેદના અને સહાનુભૂતિ આપીએ છીએ. અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કરે છે. અમે અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભા છીએ અને આશા રાખીએ છીએ કે, આ હુમલાના ગુનેગારોને ઓળખવામાં આવશે અને તેમને સજા આપવામાં આવશે.