AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh bachchan : પાન મસાલા બ્રાન્ડ સાથે કરાર રદ કર્યો, ફી પરત કરી, 20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર છે બિગ બી

અમિતાભ બચ્ચને થોડા દિવસો પહેલા પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરી હતી. જે બાદ તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. હવે બિગ બીએ આ બ્રાન્ડ સાથેના તેમના કરાર રદ કર્યા છે.

Amitabh bachchan : પાન મસાલા બ્રાન્ડ સાથે કરાર રદ કર્યો, ફી પરત કરી, 20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર છે બિગ બી
Amitabh bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 2:05 PM
Share

Amitabh bachchan : બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ઘણી જાહેરાતો કરે છે. તેના પ્રશંસકો પણ તેની જાહેરાતોથી ખૂબ પ્રભાવિત છે.

તાજેતરમાં જ બિગ બીએ પાન મસાલાની જાહેરાત કરી હતી, જે બાદ તેમને સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. હવે બિગ બીએ આ પાન મસાલા બ્રાન્ડ સાથેનો તેમનો કરાર રદ કર્યો છે.

અમિતાભ બચ્ચને સત્તાવાર નિવેદન બહાર પાડીને પોતાનો કરાર રદ કરવાની માહિતી આપી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિગ બીએ પોતાની જાતને આ બ્રાન્ડથી દૂર કરી છે. કમલા પસંદ જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસો બાદ અમિતાભ બચ્ચને ( Amitabh bachchan) બ્રાન્ડનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર છે બિગ બી

ફી પરત કરી

એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમિતાભ બચ્ચન આ બ્રાન્ડ સાથે જોડાયેલા હતા, ત્યારે તેમને ખબર નહોતી કે તે સરોગેટ જાહેરાત (Advertising)હેઠળ આવી છે. તેણે હવે લેખિતમાં તેનો કરાર સમાપ્ત કરી દીધો છે અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે તેને ચૂકવવામાં આવેલી ફી પણ પરત કરી છે.

થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન અને નેશનલ ટોબેકો એલિમિનેશન ઓર્ગેનાઈઝેશન (National Tobacco Elimination Organization)ના પ્રમુખ શેખર સાલકરને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાન મસાલા લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બિગ બી પલ્સ પોલિયો અભિયાન (Pulse Polio Campaign)ના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) છે, તેમણે તરત જ આ જાહેરાત છોડી દેવી જોઈએ.

ચાહકે પ્રશ્ન પૂછ્યો

ગયા મહિને, એક ચાહકે અમિતાભ બચ્ચન ( Amitabh bachchan)ને સોશિયલ મીડિયા પર પૂછ્યું કે તેણે બ્રાન્ડને સમર્થન આપવાનું કેમ પસંદ કર્યું. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે – હું માફી માંગુ છું. જો કોઈ વ્યક્તિ કોઈપણ વ્યવસાયમાં સારું કરી રહ્યું છે, તો કોઈએ એવું વિચારવું જોઈએ નહીં કે આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા, જો કોઈ વ્યવસાય છે, તો તેમાં આપણે આપણા વ્યવસાય વિશે પણ વિચારવું પડશે. હવે તમને લાગે છે કે મારે આ ન કરવું જોઈતું હતું પણ હા મને આ કરીને પૈસા પણ મળે છે પરંતુ ઘણા લોકો છે જે આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">