ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં હિન્દુ મંદિર પર હુમલો, 5 દિવસમાં બીજી વખત હુમલો કરી ભારત વિરુદ્ધ લખાણો લખ્યા

મંદિરની દિવાલો પર, ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિન્દુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાવાલેને 'શહીદ' તરીકે વર્ણવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં હિન્દુ મંદિર પર હુમલો, 5 દિવસમાં બીજી વખત હુમલો કરી ભારત વિરુદ્ધ લખાણો લખ્યા
Hindu temple attacked in Melbourne, Australia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 3:34 PM

ઓસ્ટ્રેલિયા 5 દિવસમાં બીજી વખત હિન્દુ મંદિર પર હુમલો થયો છે. જે ઘટનાને લઈને ખાલિસ્તાન સમર્થકો પર હુમલાનો આરોપ લાગ્યા છે. આ અગાઉ 12 જાન્યુઆરીની વહેલી સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મિલ પાર્ક ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. જેમાં ખાલિસ્તાનના સમર્થકોએ તોડફોડ કરી હતી. તે સાથે ભારત વિરોધી લખાણો પણ લખવામાં આવ્યા હતા.

અગાઉ BAPS મંદિર પર હુમલો

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે રોજ સવારે કામ પર જતા પહેલા મંદિરે જાય છે. મંદિર પહોંચ્યા ત્યારે તેમણે મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ લખેલું જોયું. BAPS સ્વામિનારાયણ મંદિરે એક અખબારને જણાવ્યું કે, ‘અમને આઘાત લાગ્યો છે અને તોડફોડ કરવામાં આવી છે.’ ત્યારે પણ ખાલિસ્તાન સમર્થકો પર મંદિર પર આવું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો.

મંદિરની દિવાલો પર, ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિન્દુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાવાલેને ‘શહીદ’ તરીકે વર્ણવ્યો હતો. હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટ પ્રેસિડેન્ટ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “પૂજાના સ્થળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત જોડો યાત્રાને બંધ કરવા પણ ધમકી

તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકો હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા જ્યારે ખાલિસ્તાન સમર્થક સંગઠને પંજાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી હતી. પંજાબની એક કોલેજની દીવાલો પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવા માટે પણ આવાહન આપવામાં આવ્યું હતું.

મકરંદ ભાગવતે ઘટનાની કરી હતી નિંદા

આ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી ભિંડરાવાલેની પ્રશંસા કરી હતી. હિન્દુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્ય અધ્યક્ષ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “ધાર્મિક સ્થાળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે આની નિંદા કરીએ છીએ.”

અગાઉ કેનેડામાં બની હતી ઘટના

કેનેડાના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરની દિવાલોમાં 2022ના સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યા શખ્સોએ ભારત વિરોધી લખાણો લખ્યા હતા અને તોડફોડ કરી હતી. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલાની તપાસ કરી ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા કેનેડિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવાયો હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">