AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શીખ છોકરીને મળી ધમકી અને તેની સાથે…. આ ઘટના બાદ તમે પણ વિચાર કરશો કે, હવે છોકરીઓને વિદેશ મોકલવી કે નહી?

આજના સમયમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ વિદેશ જઈ રહ્યા છે અને સારી કારકીર્દી બનાવવા માટેના પ્રયાસ કરે છે. જો કે, હાલમાં જ એક એવી ઘટના બની છે કે જેને લઈને દરેક સ્ટુડન્ટ ચિંતામાં મુકાયું છે.

શીખ છોકરીને મળી ધમકી અને તેની સાથે.... આ ઘટના બાદ તમે પણ વિચાર કરશો કે, હવે છોકરીઓને વિદેશ મોકલવી કે નહી?
| Updated on: Sep 13, 2025 | 6:53 PM
Share

બ્રિટનમાં 20 વર્ષીય શીખ છોકરી પર બળાત્કાર થયાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓલ્ડબરીમાં બે પુરુષોએ છોકરી પર બળાત્કાર કર્યો અને જાતિગત દુર્વ્યવહાર કર્યો. વધુમાં શીખ છોકરીને ‘તેના દેશમાં પાછા જવા’ની ધમકી પણ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, પોલીસે આને જાતિગત હુમલો માનીને તપાસ શરૂ કરી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે 8.30 વાગ્યે ટેમ રોડ નજીક બની હતી. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, આને ‘જાતિગત ઉશ્કેરણીજનક હુમલો’ (Racially motivated attack) માનવામાં આવી રહ્યો છે.

Girl Threatened Abroad Should Parents Think Twice Before Sending Daughters

ક્યારે બની ઘટના?

પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના સેન્ડવેલ એરિયામાં ઓલ્ડબરીના ટેમ રોડ પર 20 વર્ષીય બ્રિટિશ શીખ છોકરીએ ફરિયાદ કરી હતી કે, તેનું જાતીય શોષણ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હુમલા દરમિયાન બે પુરુષે મહિલાને નિશાન બનાવી અને ‘જાતિગત ટિપ્પણી’ કરી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ્ડબરીમાં એક છોકરીએ જણાવ્યું કે તેના પર બળાત્કાર થયો છે, જેને અમે જાતિગત રીતે ઉગ્ર હુમલો ગણી રહ્યા છીએ.’ સેન્ડવેલ પોલીસ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ કિમ મેડિલે કહ્યું, ‘અમે આરોપીઓને ઓળખવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. સીસીટીવી, ફોરેન્સિક અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.’

પીડિતા અને તેનો પરિવાર આઘાતમાં

સ્મેથવિકના સ્થાનિક સાંસદ ગુરિન્દર સિંહ જોહસને કહ્યું કે, આ ઘટનાથી પીડિતા આઘાતમાં છે અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો તેમની પાસે કોઈ માહિતી હોય તો તેઓ પોલીસને તપાસમાં મદદ કરે.

શીખ યુથ યુકે જૂથે જણાવ્યું હતું કે, તેઓ આ ‘ક્રૂર હુમલા’ બાદ પીડિતા અને તેના પરિવારને ટેકો આપી રહ્યા છે તેમજ સ્થાનિક ગુરુદ્વારા, ગુરુ નાનક ગુરુદ્વારા સ્મેથવિકે શુક્રવારે સમુદાયના સભ્યો માટે તકેદારી અને સલામતીના પગલાં અંગે ચર્ચા કરવા માટે એક જાહેર સભાનું આયોજન કર્યું છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">