Japan: પૂર્વ PM શિન્ઝો આબેની અંતિમ વિદાય, PM મોદીએ કહ્યું- ભારત તેમને મિસ કરી રહ્યું છે

જાપાનના (Japan) સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન શિન્ઝો આબેની (Shinzo Abe) આ વર્ષે 8 જુલાઈએ દેશના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Japan: પૂર્વ PM શિન્ઝો આબેની અંતિમ વિદાય, PM મોદીએ કહ્યું- ભારત તેમને મિસ કરી રહ્યું છે
Shinzo AbeImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 4:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Shinzo Abe) રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ રાજ્ય સમારોહમાં પીએમ મોદી સહિત 20 દેશોના રાજ્યાધ્યક્ષો હાજર રહ્યા હતા. આબેને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે ભારત તેમને મિસ કરી રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદી આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને (Fumio Kishida) મળ્યા અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.

પીએમ મોદીએ આયોજિત રાજ્ય વિધિમાં પૂર્વ પીએમ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પૂર્વ પીએમ શિન્ઝો આબેને ખૂબ મિસ કરી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો પણ હાજર હતા. પીએમ મોદી આજે આબેની પત્નીને પણ મળશે. આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં દુનિયાભરના 100 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે આબેના રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી

પીએમ ફુમિયો કિશિદા સાથેની તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ એક વૈશ્વિક અસર પેદા કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમને કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં આપણે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના ન હતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.”

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વીટ કર્યું હતું કે, “નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ટોક્યો જવા રવાના થયા છે.” બાગચીએ ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતે જાપાનના પૂર્વ વડાપ્રધાન આબેના સન્માનમાં 9 જુલાઈ 2022ના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાત તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર હશે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે હું આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.” તેમને આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ તમામ ભારતીયો તરફથી શોક વ્યક્ત કરવા વડા પ્રધાન કિશિદા અને શ્રીમતી આબેને મળશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">