AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈઝરાયેલમાં અદાણીની પોર્ટ કંપનીના ચેરમેન બન્યા પૂર્વ રાજદૂત, જાણો કોણ છે રોન મલ્કા

રોન મલ્કા વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બન્યા. હવે તેમને અદાણી ગ્રુપની માલિકીની હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જાણો તેમના વિશે..

ઈઝરાયેલમાં અદાણીની પોર્ટ કંપનીના ચેરમેન બન્યા પૂર્વ રાજદૂત, જાણો કોણ છે રોન મલ્કા
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:39 PM
Share

ભારતમાં ઇઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાની, હાઇફા પોર્ટ કંપની (HPC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપની ઇઝરાયેલના ગેડોટ ગ્રુપ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની માલિકીની છે. ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ ટ્વીટ કર્યું છે કે આ પદ સંભાળ્યા બાદ હું સન્માનિત અનુભવું છું. મલકાને વેપાર અને નાણાંકીય બાબતોમાં જાણકાર માનવામાં આવે છે.

આ પણ વાચો: G20 Sherpa Meeting : 75 દેશ દેવાના ખપ્પરમાં હોમાઈ જવાનો ભય, US-UK ને પાછળ ધકેલી ભારત બમણી ગતિએ વિકાસ કરશે, જાણો અમિતાભ કાંતના અભિપ્રાય

રોન મલ્કાએ ટ્વીટ કર્યું કે, અદાણી વતી હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને આજે પદ સંભાળ્યું. ગેડોટ અને અદાણી ગ્રુપનો અનુભવ અને પોર્ટ કર્મચારીઓનું સમર્પણ હાઈફા પોર્ટને નવી ઊંચાઈએ લઈ જશે.

2018 માં ભારતમાં ઇઝરાયેલના રાજદૂત

રોન મલ્કાને વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. તેમને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર ધ્યાન અને દિશા પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારત-ઈઝરાયેલ મુક્ત વેપાર કરાર અને હાઈફા પોર્ટ પ્રોજેક્ટ પર ચર્ચાએ ઝડપ પકડી હતી, પરંતુ કોરોના વાયરસના પ્રકોપ બાદ આ ગતિ ધીમી પડી ગઈ હતી.

નાણાકીય સલાહકારની ભૂમિકા પણ ભજવી

મલ્કાએ અર્થશાસ્ત્રમાં પીએચડી સાથે MBA પણ કર્યું છે. વડા પ્રધાનના કમિશનમાં આર્થિક સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા મલ્કાએ ઇઝરાયેલની કંપનીઓ અને ખાનગી પ્રોજેક્ટ્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના નાણાકીય સલાહકારની ભૂમિકા પણ ભજવી છે. આટલું જ નહીં, વર્ષ 2021 માં, મલ્કાને ઇઝરાયેલ સરકારે તેના અર્થતંત્ર મંત્રાલયના મહાનિદેશક તરીકે પણ નામાંકિત કર્યા હતા. અર્થતંત્ર મંત્રાલય વાણિજ્ય, ઉદ્યોગ અને શ્રમની બાબતોનું સંચાલન કરે છે.

બે સૌથી મોટા વેપારી બંદરોમાંનું એક અદાણીનું બંદર

જણાવી દઈએ કે હાઈફા પોર્ટ કંપની ઈઝરાયેલના ઉત્તરમાં છે. તે ઇઝરાયેલના બે સૌથી મોટા વ્યાપારી બંદરોમાંનું એક છે. આ બંદર ઇઝરાયેલના લગભગ અડધા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે. આ બંદર ક્રુઝ જહાજોના ટ્રાફિકને પણ સરળ બનાવે છે. બંદરમાં બે કન્ટેનર ટર્મિનલ અને બે મલ્ટી-કાર્ગો ટર્મિનલ છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">