રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી ખળભળાટ, પ્લેનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાયું

ધમકીઓ મળ્યા બાદ આ ફ્લાઈટને(Flight) ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. તે ફ્લાઈટ રુસના પર્મ એરપોર્ટથી ગોવા જઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં 238 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર છે.

રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી ખળભળાટ, પ્લેનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાયું
International Flight - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 12:19 PM

રશિયાથી ગોવા જઈ રહેલી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. માહિતી મળ્યા બાદ આ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટ તારુસના પર્મ એરપોર્ટથી ગોવા જઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં 238 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. તેમણે કહ્યું કે અઝુર એર (AZV 2463)ની ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અઝુર એરલાઇનનું એરક્રાફ્ટ નંબર AVZ 2463 ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉતરતા પહેલા વાળવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, “ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર તરફથી મોડી રાત્રે 12.30 વાગ્યે એક ઈમેલ મળ્યા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પ્લેનમાં બોમ્બ હોવાની વાત કરવામાં આવી હતી.”

12 દિવસમાં આવી બીજી ઘટના

જણાવી દઈએ કે 12 દિવસમાં આ બીજી વખત છે જ્યારે રશિયાથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ છે. અગાઉ 10 જાન્યુઆરીએ રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા જઈ રહી હતી. તાત્કાલિક પગલાં લેતા, ATCએ આ ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જો કે સંપૂર્ણ શોધખોળ બાદ પણ ફ્લાઈટમાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">