AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે જસ્ટીન ટ્રુડોની અક્કલ આવી ઠેકાણે, ઘૂંટણીએ પડીને કહ્યું – ભારત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ભારતની તાકાતનો સ્વીકાર કર્યો છે. તે ભારત સાથે ગાઢ સંબંધો ઈચ્છે છે, પરંતુ ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારત સામે આંગળી ચીંધીને તેને લાગે છે કે તે પોતાની જ જાળમાં ફસાઈ ગયુ છે.

આખરે જસ્ટીન ટ્રુડોની અક્કલ આવી ઠેકાણે, ઘૂંટણીએ પડીને કહ્યું - ભારત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી
Canadian Prime Minister Justin Trudeau
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:03 AM
Share

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત પર આંગળી ચીંધ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ જાળમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે સ્વીકાર્યું છે કે ભારત એક ઉભરતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી છે. પીએમ ટ્રુડોએ તેમની ઈન્ડો-પેસિફિક નીતિનો પુનરોચ્ચાર કર્યો જેમાં કેનેડા પોતાને ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવામાં રસ ધરાવે છે.

પીએમ ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો કે, તેમના દેશમાં કાયદાનું શાસન છે અને ફરી એકવાર ભારતને તપાસમાં સહયોગ માટે વિનંતી કરી છે. ટ્રુડો સતત કહી રહ્યા છે કે, તેઓ આ મામલાની સત્યતા બહાર લાવવા માંગે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં એન્ટની બ્લિંકનને મળ્યા હતા.

બંને નેતાઓએ કેનેડાના આરોપો અંગે વાત કરી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રુડોએ આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રી સાથે ઉઠાવવાની અમેરિકાની ખાતરીનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે અમેરિકાએ તેમને ખાતરી આપી છે કે એન્ટની બ્લિંકન વ્યક્તિગત રીતે એસ જયશંકર સાથે આ મુદ્દો ઉઠાવશે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે અને આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">