Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ
Navratri in Kabul Afghanistan: અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનીઓ (Taliban) ના કબ્જા પછી જે ડરનો માહોલ હતો તે હવે જાણે થોડો ઓસરતો જાય છે, જેનું તાજું ઉદાહરણ રાજધાની કાબુલમાં જોવા મળ્યું હતું. જ્યાં હિન્દુઓએ નવરાત્રીના પવિત્ર પ્રસંગે ભજન-કીર્તન કરીને જાગરણ કર્યું હતું. (Navratri in Kabul Afghanistan)
મંગળવારે હિન્દુઓએ કાબુલ સ્થિત અસમાઈ મંદિર (Asamai mandir)માં કીર્તન અને જાગરણનો ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો. કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેને અસમાઈ મંદિરના ગણાવવામાં આવી રહ્યા છે.
#Flash– The members of Hindu community in Afghanistan last night celebrated the ongoing Navratri festival at the ancient Asamai Mandir in #Kabul . They appealed Govt of India for their early evacuation due to acute economic and social hardships being faced by them. V @PSCINDIAN pic.twitter.com/VyDnHO3zWT
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) October 12, 2021
મીડિયા રિપોર્ટ અનુસાર કાબુલ સ્થિત અસમાઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે કહ્યું કે તેને કીર્તન અને જાગરણની સાથે સાથે ભંડારનું આયોજન પણ કર્યું હતું, જેમાં જરૂરિયાતમંદને ખાવાનું પણ આપાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં અફઘાનમાં રહેતા હિન્દુઓ સાથે શીખો પણ જોડાયા હતા.
જો કે અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. જેને લઈને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આપને જાણાવી દઈએ કે આ મંદિર કાબુલમાં જ સ્થિત ‘કરતે પરવાન’ ગુરુદ્વારેથી 4-5 કિલોમીટર દૂર છે. છેલ્લા સપ્તાહે આ ગુરુદ્વારે અમુક તાલિબાનીઓએ તોડફોડ પણ કરી હતી.
આ પણ વાંચો: Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ