હદ કરી..અહીં પબ્લિક ટોયલેટની બહાર લાગ્યા ટાઈમર, બતાવશે કેટલા ટાઈમથી અંદર ઘૂસ્યા છે લોકો

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, અહીં બનેલા પબ્લિક ટોયલેટમાં ટાઈમર લગાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે દરવાજો કેટલા સમય સુધી બંધ છે એટલે કે વ્યક્તિ બાથરૂમની અંદર કેટલો સમય રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

હદ કરી..અહીં પબ્લિક ટોયલેટની બહાર લાગ્યા ટાઈમર, બતાવશે કેટલા ટાઈમથી અંદર ઘૂસ્યા છે લોકો
Timer installed in public toilet
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 1:48 PM

તમે સાર્વજનિક શૌચાલયમાં ગયા જ હશો, પરંતુ શું તમે ક્યારેય ત્યાં ટાઈમર લગાવેલું જોયું છે, જે પબ્લિક ટોયલેટમાં કોઈ કેટલા ટાઈમથી અંદર બેઠો છે તે જણાવે ? ના, પરંતુ આજકાલ ચીનમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, ચીને તાજેતરમાં જ યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝમાં ટોઇલેટ ટાઈમર લગાવ્યા છે. ચીનના શાંક્સી પ્રાંતમાં યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝ એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે, જ્યાં 200 થી વધુ ગુફાઓ અને હજારો બુદ્ધ પ્રતિમાઓ છે. યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરનો દરજ્જો આપ્યો છે.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, અહીં બનેલા પબ્લિક ટોયલેટમાં ટાઈમર લગાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે દરવાજો કેટલા સમય સુધી બંધ છે એટલે કે વ્યક્તિ બાથરૂમની અંદર કેટલો સમય રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

ટાઈમર શા માટે લગાવામાં આવ્યા?

કર્મચારીના જણાવ્યા મુજબ, ઘણી વખત પ્રવાસીઓ બાથરૂમમાં જરૂરિયાત કરતાં વધુ સમય પસાર કરે છે. જો તેમને બાથરૂમની અંદર કંઈક થઈ જાય અથવા કોઈ ઈમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો આવી સ્થિતિમાં તેમને બચાવી શકાય છે, એટલે કે પ્રવાસીઓની સુરક્ષા માટે આ ટાઈમર લગાવવામાં આવ્યું છે. જોકે બીજી બાજુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

શૌચાલયમાં બેસવાનો સમય નક્કી કરશે ?

અન્ય એક કર્મચારીએ કહ્યું કે આ ટાઈમર બાથરૂમના ઉપયોગનો સમય નક્કી કરશે નહીં. કોઈપણ વ્યક્તિ બાથરૂમની અંદર ગમે તેટલો સમય પસાર કરી શકે છે. આ ટાઈમર જ બતાવશે કે દરવાજો કેટલા સમયથી બંધ છે. આ રીતે, બહાર હાજર લોકોને બિનજરૂરી રીતે દરવાજો ખટખટાવવાની જરૂર રહેશે નહીં. તે જ સમયે, કેટલાક અન્ય કર્મચારીઓએ કહ્યું કે એવું નથી કે જો કોઈને વધારે ટાઈમ લેશે તો તેને બાથરૂમમાંથી બહાર કાઢી દેવામાં આવશે, ન તો ટાઈમર કોઈ સમય મર્યાદા નક્કી કરશે કે કોણ શૌચાલયની અંદર કેટલો સમય વિતાવશે.

લોકોનો વિરોધ

જો કે, કર્મચારીઓએ આ ટાઈમર લગાવવા પાછળનો તર્ક આપ્યો હોવા છતાં ચીનમાં તેને લઈને હોબાળો થયો છે. ત્યાં આવતા પ્રવાસીઓનું કહેવું છે કે તેમને લાગે છે કે જાણે તેમની ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">