AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Climate Crime: આ દેશના રાષ્ટ્રપતિ પર ‘ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ’માં ફરિયાદ દાખલ, માનવતા વિરુદ્ધના ગુનાઓનો છે આરોપ

Jair Bolsonaro ICC: આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર માનવતા વિરુદ્ધ ગુના કરવાનો આરોપ છે. આ ફરિયાદ એક સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

Climate Crime: આ દેશના રાષ્ટ્રપતિ પર 'ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ'માં ફરિયાદ દાખલ, માનવતા વિરુદ્ધના ગુનાઓનો છે આરોપ
Brazil President Jair Bolsonaro
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 7:53 PM
Share

Case Registered Against Jair Bolsonaro in ICC: સામાન્ય માણસ ઉપર ફરિયાદ થતી રહે છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે રાષ્ટ્ર્રપતિ ઉપર ફરિયાદ થઈ હોય. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બ્રાઝિલના (Brazil) એમેઝોન જંગલોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવાના કારણે રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની (Jair Bolsonaro) મુશ્કેલીઓ વધી છે. 

 

તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જંગલોની સ્વચ્છતા વધી છે. જેની સીધી અસર આબોહવા પરિવર્તન પર પડી રહી છે. આ કારણોસર બોલ્સોનારો પર માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ક્લાઈમેટ ચેન્જ માટે કામ કરતી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC)માં રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

સંગઠન બોલ્સોનારો પર તેમની નીતિઓને કારણે એમેઝોનને ઝડપથી નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવે છે જે વન નાબૂદી, જમીન પચાવી પાડવી અને ગેરકાયદે ખનન માટે પ્રોત્સાહન આપે છે. સંસ્થાના સ્થાપક જોહાન્સ વેઈસમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘જેયર બોલ્સોનારો એમેઝોનના મોટાપાયે વિનાશને પ્રોત્સાહન આપી રહ્યા છે.’

આ મામલે બોલ્સોનારોની ઓફિસ દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમણે વર્ષ 2019માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. સંસ્થાએ કોર્ટને કહ્યું કે તેની સત્તાવાર રીતે તપાસ થવી જોઈએ કે જેર બોલ્સોનારોની નીતિઓ માનવતા વિરુદ્ધના ગુના છે કે કેમ.

એમેઝોનના કપાયેલ ઝાડ કેમ જોખમી છે?

આંકડા દર્શાવે છે કે એમેઝોનમાંકપાયેલ ઝાડથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઈટાલી અથવા સ્પેનના વાર્ષિક કુલ ઉત્સર્જન કરતા વધારે છે. આ એટલું કાર્બન ડાયોક્સાઈડ છોડે છે કે એમેઝોન શોષી શકતું નથી. આઈસીસીમાં જેયર બોલ્સોનારો વિરુદ્ધ ફરિયાદ પણ એવા સમયે દાખલ કરવામાં આવી છે, જ્યારે આવતા મહિને ગ્લાસગોમાં ક્લાઈમેટ સમિટ COP26 યોજાવા જઈ રહી છે.

આ કારણે આ સમયે વિશ્વમાં દરેકનું ધ્યાન પર્યાવરણ પર રહેવાનું છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આ મામલાની તપાસ થશે કે નહીં તે નક્કી કરવા માટે ICCને ઘણા વર્ષો લાગી શકે છે.

આબોહવા પરિવર્તનને કારણે મૃત્યુ

બ્રાઝિલિયન ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી માર્સિઓ એસ્ટ્રીનીએ ફરિયાદ દાખલ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ફરિયાદથી ઘણું બદલાવાની શક્યતા નથી. પરંતુ દેશની અદાલતથી લઈને ત્યાં રોકાણ કરતી કંપની સુધી દરેક વ્યક્તિ સમસ્યા સામે પગલાં લઈ શકે છે. તેમણે કહ્યું, ‘આ શરમની દિવાલની બીજી ઈંટ છે જે બોલ્સોનારો બ્રાઝિલ માટે બનાવી રહી છે.

‘ માનવાધિકાર કાર્યકર્તા અને આંતરરાષ્ટ્રીય ફોજદારી વકીલ મૌડ સરલીવે જણાવ્યું હતું કે આ ફરિયાદ આઈસીસીને ચકાસવા માટે તપાસ કરશે કે તે પર્યાવરણીય મૃત્યુ થાય છે કે કેમ. તમને જણાવી દઈએ કે હવે આઈસીસી પર નિર્ભર છે કે તે ફરિયાદ સ્વીકારે છે કે ફગાવી દે છે.

આ પણ વાંચો: IPLનીઅંતિમ મેચ બાદ આરસીબીએ વિરાટ કોહલીનો વિડીયો શેર કર્યો, વિરાટે ખેલાડીઓ તરફથી મળેલા સમર્થનને યાદ કર્યુ

આ પણ વાંચો : Jammu Kashmir: અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કરાયો

g clip-path="url(#clip0_868_265)">