AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં નોકરીની ઈચ્છા રાખનારા માટે ચેતવણી સમાન કિસ્સો, કંબોડિયામાં 300 ભારતીય સામે કાર્યવાહી, જાણો

કંબોડિયામાં ભારતીયો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. કંબોડિયા સ્થિત ભારતીયોએ 20 મેના રોજ તેમના હેન્ડલર્સ સામે બળવો કર્યો હતો. જેના કારણે બળવો કરનારાઓમાંથી મોટાભાગનાની પોલીસે ધરપકડ કરી છે.

વિદેશમાં નોકરીની ઈચ્છા રાખનારા માટે ચેતવણી સમાન કિસ્સો, કંબોડિયામાં 300 ભારતીય સામે કાર્યવાહી, જાણો
Action against 300 Indians in Cambodia
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2024 | 1:03 PM
Share

કંબોડિયામાં પોલીસ દ્વારા 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભારતીયોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. આંધ્ર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ ગત 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે તેમાંથી મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં રશિયામાંથી પણ આ પ્રકારની માનવ તસ્કરીનો એક કિસ્સો સામે આવ્યો હતો. જો કે, આમાં એવા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે ગેરકાયદેસર રીતે ભારતીયોને રશિયા મોકલ્યા હતા. ભારતમાંથી યુવાનોને આકર્ષક નોકરીઓ અથવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાના વચન સાથે રશિયા લઈ મોકલાયેલાઓને યુક્રેનમાં યુદ્ધમાં લડવા માટે દબાણ કરવાના આરોપમાં ચાર લોકોની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપીઓની ઓળખ કેરળના રહેવાસી અરુણ અને યેસુદાસ જુનિયર તરીકે થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, માનવ તસ્કરોએ ભારતીય યુવાનોને સારા પગારના પેકેજ સાથે રશિયામાં નોકરીની લાલચ આપીને ફસાવ્યા હતા.

પોલીસે શું માહિતી આપી?

કંબોડિયામાં પકડાયેલા 300 ભારતીય અંગેના કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે, આમાંથી 150 લોકો વિશાખાપટ્ટનમના રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી કંબોડિયામાં ફસાયેલા છે. જ્યાં ચીનના ઓપરેટરો દ્વારા આ તમામને સાયબર ક્રાઈમ અથવા પોન્ઝી કૌભાંડ આચરવા માટેનું દબાણ કરવામાં આવે છે.

ભારતમાં ત્રણની ધરપકડ

વિશાખાપટ્ટનમ પોલીસ કમિશનર એ. રવિશંકરે કહ્યું કે, ઘણા લોકોએ વોટ્સએપ દ્વારા વિશાખાપટ્ટનમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કંબોડિયામાં ફસાયેલા ભારતીયોનો વીડિયો મોકલ્યા હતા. કંબોડિયામાં લગભગ 300 ભારતીયોએ તેમના હેન્ડલર્સ સામે બળવો કર્યો હતો. ગત 18 મેના રોજ વિશાખાપટ્ટનમ પોલીસે ચુકા રાજેશ, એસ. કોંડલ રાવ અને એમ. જ્ઞાનેશ્વર રાવની, માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ ભારતમાં યુવાનોને સિંગાપોરમાં ડેટા એન્ટ્રીની નોકરી અપાવવા માટે લલચાવતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓને સાયબર ગુના આચરવા માટે સિંગાપોરને બદલે કંબોડિયા મોકલતા હતા.

કેવા કામ માટે કરાતુ હતુ દબાણ ?

પોલીસે જણાવ્યું હતું કે, કંબોડિયા પહોંચ્યા પછી, યુવાનોને ચાઈનીઝ હેન્ડલર્સ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગેમ ફ્રોડ, શેરબજારમાં છેતરપિંડી અને અન્ય ઓનલાઈન ગુનાહીત પ્રવૃતિ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

વિશાખાપટ્ટનમ પોલીસે ફસાયેલા લોકોને મદદ કરવા અને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય અને સંબંધિત વિભાગોનો સંપર્ક કર્યો હતો, કારણ કે સોમવારના બળવા પછી તેમાંથી મોટાભાગના લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમના જોઈન્ટ પોલીસ કમિશનર ફક્કરપ્પા કાગિનેલ્લી અનુસાર, દેશભરમાંથી લગભગ 5,000 લોકોને વિવિધ એજન્ટો દ્વારા કંબોડિયા મોકલવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">