AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીરિયામાં મોટો આતંકી હુમલો, 53 લોકોના દર્દનાક મોત, ISIS પર લાગ્યા આરોપ

સીરિયાના અલ-સોખાના શહેરમાં વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 53 લોકોના મોતની જાણકારી મળી રહી છે.

સીરિયામાં મોટો આતંકી હુમલો, 53 લોકોના દર્દનાક મોત, ISIS પર લાગ્યા આરોપ
terrorist attack in Syria
| Updated on: Feb 18, 2023 | 10:40 AM
Share

સીરિયામાં આતંકવાદી હુમલામાં 53 લોકોના દુઃખદ મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો છે. સીરિયાના અલ-સોખાના શહેરમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને એક વર્ષમાં સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે હુમલામાં 46 નાગરિકો અને સાત સેનાના જવાનો માર્યા ગયા. તેમણે જણાવ્યું કે હુમલા બાદ તેઓને મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા હતા.

 બ્લાસ પાછળ ISISનો હાથ !

મીડિયા અહેવાલો અનુસાર યુએસ સેન્ટ્રલ કમાન્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલામાં ચાર યુએસ સૈન્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા જ્યાં ઇસ્લામિક સ્ટેટના એક નેતાનું મોત થયું હતું. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ISISનો હમઝા અલ-હોમસી માર્યો ગયો છે અને અમેરિકી સૈન્ય કર્મચારીઓની ઇરાકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે આતંકવાદી સંગઠન

છેલ્લા એક વર્ષમાં આતંકી સંગઠન દ્વારા કરવામાં આવેલા નિશાનોમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનેક લોકો માર્યા ગયા છે. સીરિયાના સેન્ટ્રલ, નોર્થ ઈસ્ટર્ન અને ઈસ્ટર્ન વિસ્તારમાં છેલ્લા વર્ષમાં અનેક આતંકી હુમલા કરવામાં આવ્યા છે. ગયા શુક્રવારે આવા જ હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા. આવા હુમલાઓ પર નજર રાખનારી સંસ્થાએ કહ્યું કે હુમલામાં ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં 25ને છોડી દેવામાં આવ્યા છે, પરંતુ અન્ય ગુમ થયેલા લોકો વિશે કોઈ માહિતી નથી. ત્યારે આતંકવાદીઓને ખતમ કરવા માટે, સીરિયન અને રશિયન હેલિકોપ્ટર પણ સમયાંતરે અભિયાન ચલાવી રહ્યું છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">