સોનાની ખાણમાં કામ કરતા ચીની નાગરિકો પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 9 લોકોના થયા મોત

મીડિયા રિપોર્ટ્સ મુજબ બંદૂકધારીઓએ ચિમ્બોલો સોનાની ખાણ (Chimbolo Gold Mine) પર સવારે લગભગ 5 વાગ્યે હુમલો કર્યો હતો. બંદૂકધારીઓએ પહેલા સ્થળ પર તહેનાત સિક્યોરિટી ગાર્ડ્સ પર કાબૂ મેળવ્યો અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો.

સોનાની ખાણમાં કામ કરતા ચીની નાગરિકો પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 9 લોકોના થયા મોત
Chimbolo gold mine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:40 PM

મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં બંદૂકધારીઓએ ચીન દ્વારા સંચાલિત એક સોનાની ખાણમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં ખાણમાં કામ કરતા 9 ચીની નાગરિકોના મોત થયા હતા અને અન્ય 2 ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીનની કંપનીએ હાલમાં જ આ ખાણમાં કામ શરૂ કર્યું હતું. બાદમાં પીડિતોના મૃતદેહોને રાજધાની બાંગુઈ લાવવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે હુમલાખોરોની શોધ ચાલી રહી છે. લોકોનું કહેવું છે કે હિંસાની તાજેતરની ઘટના સુરક્ષા દળોમાં વિશ્વાસના અભાવને દર્શાવે છે.

આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ બળવાખોર જૂથોના ગઠબંધન પેટ્રિયટ્સ ફોર ચેન્જ અથવા સીપીસી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આ પ્રદેશમાં સક્રિય છે અને દેશના સશસ્ત્ર દળો પર નિયમિત હુમલા કરી રહ્યું છે. આ બળવાખોર જૂથોનું ગઠબંધન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા બોઝિગે તરફ ઝુકાવ્યું છે. પરંતુ સીપીસીએ એક નિવેદન જાહેર કરીને હિંસા પાછળ વાગ્નેર ગ્રુપના રશિયન ભાડાના સૈનિકો પર આરોપ લગાવ્યો હતો. પરંતુ તેને કોઈ પુરાવા આપ્યા નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિકાસના પાયા પર હુમલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ બંદૂકધારીઓએ રવિવારે સવારે લગભગ 5 વાગ્યે ચિમ્બોલો સોનાની ખાણ પર હુમલો કર્યો. બંદૂકધારીઓએ પહેલા સ્થળ પર તહેનાત સિક્યોરિટી ગાર્ડ્સ પર કાબૂ મેળવ્યો અને ગોળીબાર કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાણકામ સ્થળનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા જ થયું હતું. અધિકારીઓનું કહેવું છે કે ચીની વેપારીઓ પર હુમલો બળવાખોરોની કાયરતા દર્શાવે છે. સીપીસી દ્વારા માત્ર દેશની આર્થિક ગતિને જ નુકસાન થયું નથી, તે હવે વિકાસના પાયા પર હુમલો કરી રહ્યું છે, જે અસ્વીકાર્ય છે.

કેમેરૂનની સરહદ પાસે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમમાં ત્રણ ચીની નાગરિકોનું અપહરણ થયાના થોડા દિવસો બાદ આ હુમલો થયો છે. તેનાથી રોકાણકારોને આશ્વાસન આપવા માટે રાષ્ટ્રપતિ ફૌસ્ટિન અર્ચાંગે ટૌડેરાની ચીનની મુલાકાત લેવાની યોજનાને અસર થઈ શકે છે.

આ પણ વાંચો : ભાગેડુ ઝાકિર નાઈક મુદ્દે મળી મોટી સફળતા, ભારત તેની ઓમાનથી કરી શકે છે ધરપકડ

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે, તેની પાસે સોના અને હીરાની વિશાળ ખનિજ સંપત્તિ છે. છેલ્લા દાયકામાં બળવાખોર જૂથો ખાણકામમાં રોકાણ કરેલી વિદેશી કંપનીઓના કામમાં વિક્ષેપ પાડવાના કાર્યમાં જોડાયેલા છે. ચીનની ઘણી કંપનીઓ અહીં ખાણકામ કાર્યમાં વ્યસ્ત છે, પરંતુ તેમને સુરક્ષા પડકારોનો સામનો કરવો પડ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">