AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યૂયોર્કમાં મોટો આતંકી હુમલો, બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબારમાં 15 લોકો ઘાયલ, રાષ્ટ્રપતિ જો બાઈડેને આજના તમામ કાર્યક્રમો રદ કર્યા

અમેરિકન સમય અનુસાર આ આતંકી હુમલો સવારે 8.30 વાગ્યે થયો હતો. હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આવ્યો હતો. ન્યૂયોર્કના ગવર્નરે હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમને બ્રુકલિનમાં થયેલા હુમલાની માહિતી મળી છે. સુરક્ષા દળો સ્થળ પર હાજર છે. 

ન્યૂયોર્કમાં મોટો આતંકી હુમલો, બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબારમાં 15 લોકો ઘાયલ, રાષ્ટ્રપતિ જો બાઈડેને આજના તમામ કાર્યક્રમો રદ કર્યા
New York Attack News (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:17 PM
Share

Attack in New York: આ સમયે અમેરિકામાંથી  (America) મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ન્યૂયોર્ક મેટ્રો સ્ટેશન  (New York Metro Station)  પર અંધાધૂંધ ગોળીબાર થયો છે, જેમાં છ લોકોને ગોળી વાગી છે. આ હુમલા બાદ ન્યૂયોર્કમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રો સ્ટેશન પર વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. તમામ સ્ટેશનો અને સબવે પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. 

તે જ સમયે, ન્યૂયોર્કમાં ઘણી જગ્યાએ ઘાતક બોમ્બ મળવાના સમાચાર પણ છે. આ હુમલા બાદ અમેરિકી સુરક્ષા એજન્સી એક્શનમાં આવી છે. ન્યૂયોર્ક પોલીસ અને એફબીઆઈએ તપાસ શરૂ કરી છે. અમેરિકન સમય અનુસાર આ આતંકી હુમલો સવારે 8.30 વાગ્યે થયો હતો. હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આવ્યો હતો. ન્યૂયોર્કના ગવર્નરે હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમને બ્રુકલિનમાં થયેલા હુમલાની માહિતી મળી છે. સુરક્ષા દળો સ્થળ પર હાજર છે.  આ હુમલા બાદ ન્યૂયોર્કની તમામ સબવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, ન્યૂયોર્કમાં શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

હુમલા અંગેની માહિતી રાષ્ટ્રપતિ બાઈડનને આપવામાં આવી 

ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું હતું કે સ્ટેશન પર કોઈ જીવંત બોમ્બ મળ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને આ હુમલાની જાણકારી આપવામાં આવી છે. ન્યૂયોર્ક પોલીસ હેલિકોપ્ટર દ્વારા હુમલાખોરોને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 21 વર્ષ બાદ અમેરિકામાં આવો હુમલો થયો છે.

ઘાયલ/મૃતકોમાં ભારતીયો પણ હોઈ શકે છે

ભારતીય દૂતાવાસે આ ઘટનાની માહિતી લીધી છે. આ હુમલામાં ઘાયલ/મૃતકોમાં ભારતીયો પણ સામેલ હોઈ શકે છે કારણ કે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં લગભગ 32 હજાર ભારતીયો રહે છે.

સ્ટેશનના ફ્લોર પર લોહીથી લથપથ લોકો જોવા મળ્યા 

ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સનસેટ પાર્ક નજીકના 36 સ્ટ્રીટ સ્ટેશનમાંથી ધુમાડો નીકળતો હોવાની અગ્નિશામકોને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે ઘણા લોકોને ઠાર કરવામાં આવ્યા હતા અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. એક કાયદા અમલીકરણ સૂત્રએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ બાંધકામ વર્ક સબંધિત યુનિફોર્મમાં હતો. જ્યારે આ સમયે, સામે આવેલા ઘટનાસ્થળની તસવીરમાં સ્ટેશનના ફ્લોર પર લોહીથી લથપથ લોકો જોવા મળે છે. ન્યૂયોર્ક પોલીસનું કહેવું છે કે તેમને સ્ટેશનમાં ગોળીબાર અથવા વિસ્ફોટમાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો :  યુક્રેન પછી હવે આ બે દેશોનો નંબર? ફિનલેન્ડ-સ્વીડને નાટોમાં જવાનું વિચારતા રશિયા ભડક્યું, સરહદ પર હથિયારો તૈનાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">