AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War : યુક્રેનને નવા શસ્ત્રો આપવા માટે અમેરિકાએ ‘આકાશ- પાતાળ એક કરવાનું’ વચન આપ્યું, બીજી તરફ પુતિનને શાંતિની આશા

Russia Ukraine Crisis : યુક્રેને સોવિયેત યુનિયનના સ્મારકને તોડી પાડ્યું છે, જે રશિયા સાથેની તેની મિત્રતાનું પ્રતીક હતુ. શહેરના મેયરના જણાવ્યા અનુસાર યુક્રેને મોસ્કોના આક્રમણના જવાબમાં આ સ્મારકને તોડી પાડ્યું છે.

Russia Ukraine War : યુક્રેનને નવા શસ્ત્રો આપવા માટે અમેરિકાએ 'આકાશ- પાતાળ એક કરવાનું' વચન આપ્યું, બીજી તરફ પુતિનને શાંતિની આશા
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:35 AM
Share

Russia Ukraine Crisis : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Ukraine Russia War)  બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને તરફથી શાંતિની કોઈ આશા નથી. આ યુદ્ધ રશિયાએ ધાર્યું હતું તેના કરતાં વધુ સમય સુધી ચાલ્યું છે. યુદ્ધની વચ્ચે યુક્રેને (Ukraine) મોસ્કો પર રશિયન સમર્થિત અલગતાવાદીઓ દ્વારા પ્રભુત્વ ધરાવતા પ્રદેશમાં અશાંતિ ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ સોવિયેત દેશ મોલ્ડોવાના વિવાદિત વિસ્તારમાં અનેક વિસ્ફોટ થયા છે. આ બધાની વચ્ચે અમેરિકા  (America) અને તેના સાથીઓએ યુક્રેનને હથિયારોનું વધારાનું પેકેજ આપવાનું વચન આપ્યું છે. અહીં જાણો આ યુદ્ધ સાથે જોડાયેલી આ મોટી વાતો…

  1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે મોસ્કો હજુ પણ યુક્રેન સાથે શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખે છે. મંગળવારે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથેની બેઠકમાં, પુતિને જણાવ્યું હતું કે ગયા મહિને તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં સમાધાનના એંધાણ વર્તાયા હતા. જો કે બાદમાં પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન બાદમાં ઈસ્તાંબુલમાં થયેલા કેટલાક કરારોમાંથી ખસી ગયું હતું.
  2. પુતિને કહ્યું કે યુક્રેનિયન અધિકારીઓએ ક્રિમીઆ અને પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સ્થિતિ પર આ મુદ્દાઓને બંને દેશોના રાષ્ટ્રપતિઓ પર ચર્ચા કરવા માટે છોડી દીધા. પુતિને કહ્યું હતું કે યુક્રેનના વલણમાં ફેરફાર ભવિષ્યના કોઈપણ કરારને મુશ્કેલ બનાવશે.
  3. રશિયાએ મંગળવારે પૂર્વી યુક્રેન પર હુમલો કર્યો, જ્યારે યુએસ સંરક્ષણ સચિવે નવા હુમલાઓનો જવાબ આપવા માટે જરૂરી શસ્ત્રો સાથે કિવને એકીકૃત કરવાનું વચન આપ્યું. દરમિયાન, મોસ્કોએ યુક્રેનને આવા પશ્ચિમી સહયોગ પર યુદ્ધના જોખમમાં વધુ વધારો કરવાની ચેતવણી આપી હતી.
  4. રશિયામાં એક કિન્ડરગાર્ટનમાં હુમલાખોરે બે બાળકો અને એક મહિલા કામદારની ગોળી મારીને હત્યા કરી નાખી. ફેડરલ ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ ગવર્નર સેરગેઈ મોરોઝોવે પ્રારંભિક માહિતીને ટાંકીને લખ્યું હતું કે મધ્ય રશિયન શહેર વેશકાયમામાં એક વ્યક્તિએ કિન્ડરગાર્ટનમાં પ્રવેશ કર્યો અને એક મહિલા કાર્યકર અને બાળકોને ગોળી મારી અને પછીથી પોતાને ગોળી મારી.
  5. યુક્રેને સોવિયેત યુનિયનના સ્મારકને તોડી પાડ્યું છે, જે રશિયા સાથેની તેની મિત્રતાનું પ્રતીક છે. શહેરના મેયરના જણાવ્યા અનુસાર યુક્રેને મોસ્કોના આક્રમણના જવાબમાં સ્મારકને તોડી પાડ્યું છે.
  6. રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ રશિયન રૂબલમાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો ત્યારે રશિયાએ ગેસનો પુરવઠો બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો : Air-One Vertiport: ઈંગ્લેન્ડમાં ખુલ્યું વિશ્વનું પ્રથમ ‘વર્ટિપોર્ટ’, જાણો અન્ય એરપોર્ટથી આટલું અલગ કેમ છે?

આ પણ વાંચો : Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">