Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ

પાકિસ્તાનમાં કરાંચી યુનિવર્સિટી પાસે વિસ્ફોટ થયો

Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ
Blast reported near Karachi University Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 6:40 PM

Blast In Pakistan :પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી (Karachi University)માં વિસ્ફોટ થયો છે.પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી બ્લાસ્ટ(Karachi University Blast)માં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં માર્યા ગયેલા ચારેય લોકો ચીનના નાગરિક છે. આ વિસ્ફોટ યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો. વિસ્ફોટ (Blast) સમયે કારમાં ચાર લોકો હતા, જેમાં ચાઈનીઝ શિક્ષક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જણાવવામાં આવ્યું છે કે, આ કાર ચીનની સંસ્થાની છે. હાલમાં, સુરક્ષા દળો કેમ્પસમાં હાજર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ

પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ ત્રણ લોકોમાં એક વિદેશી નાગરિક, એક રેન્જર અધિકારી અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક સમય અનુસાર 1.52 કલાકે કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. કન્ફ્યુશિયસ સંસ્થા એ કરાચી યુનિવર્સિટીમાં ચીની ભાષા શીખવવાનું કેન્દ્ર છે. બ્લાસ્ટની જાણ થતાં જ બચાવ દળ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને લોકોને અહીંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આતંકવાદી હુમલાની તપાસ

જિયો ન્યૂઝે પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે કારમાં સાતથી આઠ લોકો હતા. પ્રાથમિક રિપોર્ટમાં કહેવાયું છે કે બ્લાસ્ટ ગેસ સિલિન્ડરને કારણે થયો હતો. જોકે, હજુ સુધી પોલીસ તરફથી બ્લાસ્ટ પાછળનું સાચું કારણ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પીડિતો ઈન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (IBA)માંથી કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટમાં પરત ફરી રહ્યા હતા. કરાચીના ઈસ્ટર્ન ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) મુકદ્દાસ હૈદરે પત્રકારોને જણાવ્યું કે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. દરમિયાન, ગુલશનના પોલીસ અધિક્ષક (SP) એ કહ્યું કે વિસ્ફોટ આતંકવાદી હુમલો હતો કે માત્ર એક અકસ્માત હતો તે અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :

Jammu Kashmir: બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની બંદૂક અને ગ્રેનેડ સાથે ધરપકડ

 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">