ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો
ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર ખોટા હતા, પરંતુ ઝીણાએ પાકિસ્તાની સેનાને કલાત પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. બલૂચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર હુમલો કરી દીધો. કલાતના ખાનનું અપહરણ કરી તેને કરાચી લઈ જવામાં આવ્યા. કરાચીમાં તેની પાસે બળજબરીથી વિલય પત્ર પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે બલૂચિસ્તાન ભારતના હાથમાંથી નીકળી ગયુ.

પાકિસ્તાનની બરાબર મધ્યમાં એક એવો ભાગ પણ છે જેને સ્વતંત્ર રાખવાની હિમાયત ખુદ મોહમ્મદ અલી જિન્હાએ કરી હતી. આ વિસ્તાર છે કલાત. આ ઘટનાક્રમને સમજવા માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે. એ તારીખ હતી 27 માર્ચ 1948, કલાતના એક મહેલમાં ખાન મીર અહમદ ખાન આરામ ફરમાવી રહ્યા હતા. સવારનો સમય હતો. બરાબર 9 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર પ્રસારિત થાય છે. પોતાના બિસ્તર પર સૂતેલા ખાનનો એક કાન એ સમયે રેડિયોના સમાચાર પર હતો અને એકાએક તેના પગતળેથી જમીન સરકવા લાગી. રેડિયો પર સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા કે ભારતે તેમના રજવાડાના વિલીનીકરણનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાંભળી ખાન ચોંકી ગયા. મુદ્દો એ ન હતો કે ભારતે પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પાકિસ્તાનને હવે રેડિયો દ્વારા તેની જાણ...