AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China News : ચીનના પંઝોઉ શહેરમાં કોલસાની ખાણમાં ભીષણ આગ, 16 લોકોના મોત

તાજેતરના દાયકાઓમાં ચીનમાં ખાણકામ ક્ષેત્રની સલામતીમાં સુધારો થયો છે, તેમ છતાં અકસ્માતો હજુ પણ વારંવાર ઉદ્યોગને પ્રભાવિત કરે છે. સુરક્ષા પ્રોટોકોલમાં ઢીલાસના કારણે આ અકસ્માતો ઘણીવાર થાય છે. પંઝોઉ શહેર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરનારા લોકો ખાણમાં કન્વેયર બેલ્ટમાં આગ લાગવાથી ફસાઈ ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું

China News : ચીનના પંઝોઉ શહેરમાં કોલસાની ખાણમાં ભીષણ આગ, 16 લોકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 6:35 AM
Share

China News:  દક્ષિણ ચીનમાં કોલસાની ખાણમાં રવિવારે લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે આગ ગુઇઝોઉ પ્રાંતના પંઝોઉ શહેરમાં શાંજિયાઓશુ કોલસાની ખાણમાં લાગી હતી. પંઝોઉ શહેર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરનારા લોકો ખાણમાં કન્વેયર બેલ્ટમાં આગ લાગવાથી ફસાઈ ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: China Economy: ચીનની ડૂબતી અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો, હવે આ વિદેશી કંપનીએ પોતાનો બિઝનેસ કરી દીધો બંધ

ગ્રીનહાઉસ વાયુઓનું વિશ્વનું સૌથી મોટું ઉત્સર્જક ચીન, તેની પવન અને સૌર ઉર્જા ક્ષમતાના મોટા પ્રમાણમાં વિસ્તરણ છતાં વીજળી માટે કોલસા પર ભારે નિર્ભર રહે છે. દેશના કોલસા ખાણ ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં કામદારો માટે સલામતીની સ્થિતિમાં સુધારો કર્યો છે, પરંતુ આવા અકસ્માતોથી મૃત્યુ હજુ પણ થાય છે.

કોલસાની ખાણમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા

મહત્વનું છે કે, ચીનમાં કોલસાની ખાણમાં રવિવારે આગ લાગી હતી. આ ખાણ રાજધાની બેઇજિંગથી લગભગ 3,600 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં પંઝોઉ શહેરમાં છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે કોલસાની ખાણમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. સરકારે તેની વેબસાઈટ પર પોસ્ટ કરેલી નોટિસમાં કહ્યું કે આગ ઓલવાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આગ કન્વેયર બેલ્ટમાં લાગી હોવાનું અનુમાન છે.

ફેબ્રુઆરીમાં 53 લોકોના મોત થયા હતા

ચીનમાં ખાણકામ ક્ષેત્રની સલામતીમાં તાજેતરના દાયકાઓમાં સુધારો થયો હોવા છતાં, અકસ્માતો હજુ પણ વારંવાર ઉદ્યોગને નુકસાન કરે છે. સુરક્ષા પ્રોટોકોલમાં ઢીલાસને કારણે આ અકસ્માતો ઘણીવાર થાય છે. ફેબ્રુઆરીમાં, ઉત્તરીય આંતરિક મંગોલિયા પ્રદેશમાં કોલસાની ખાણ તૂટી પડી હતી, જેમાં ડઝનેક લોકો અને વાહનો કાટમાળના પહાડ નીચે દટાઈ ગયા હતા. સત્તાવાળાઓએ મહિનાઓ સુધી અંતિમ મૃત્યુઆંક જાહેર કર્યો ન હતો, માત્ર જૂનમાં જ 53 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: Pakistan News: ચીને પાકિસ્તાનને લગાવ્યો ચુનો, મિત્ર દેશે પાવર પ્લાન્ટમાં કરી અબજો રૂપિયાની છેતરપિંડી, હવે હંગામો

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">