AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: બલૂચિસ્તાનમાં લગ્નની જાન પર અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત અને 12 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ એક વાન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Pakistan: બલૂચિસ્તાનમાં લગ્નની જાન પર અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત અને 12 ઘાયલ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:46 PM
Share

પાકિસ્તાન આ દિવસોમાં ચારેબાજુથી સંકટનો સામનો કરી રહ્યું છે. રાજકીય અસ્થિરતાની સાથે દેશમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પાકિસ્તાનમાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અંધાધૂંધ ગોળીબારની ઘટના બલૂચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં બની છે. અજ્ઞાત હુમલાખોરોએ અહીં જાન લઈ જતી વેન પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાચો: 1000 વર્ષ પછી કેવું દેખાશે પાકિસ્તાન? આવા હશે લોકો! AIએ બનાવ્યા ફોટો

ન્યૂઝ એજન્સી ANI મુજબ સ્થાનિક પોલીસે જણાવ્યું કે, બાળકો અને મહિલાઓ સહિત લગભગ 20 લોકો શનિવારે જાન સાથે ગાંડાવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ સોહેજે લેવિઝ ચોકી પર પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ વાન પર ગોળીબાર કર્યો હતો. આ મામલાની માહિતી આપતા ઝાલ માગસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, હુમલામાં એક મહિલા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 12 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ હત્યા પાછળ આદિવાસી દુશ્મનાવટ હોઈ શકે

ઘાયલોને ગાંડાવાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ચાર ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, હુમલા પાછળના હેતુ વિશે તેઓને હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસ હુમલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોન મુજબ મગાસીના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, આ હત્યા પાછળ આદિવાસી દુશ્મનાવટ હોઈ શકે છે.

કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો

અધિકારીઓ હુમલાની તપાસમાં લાગેલા છે અને હુમલાખોરોને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અબ્દુલ કુદુસ બિઝેન્જોએ આ ઘટનાની નોંધ લીધી છે અને ઝાલ મગાસીના ડેપ્યુટી કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે અધિકારીઓને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવા અને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

હુમલામાં તમામ લોકોના મોત થયા

બલૂચિસ્તાનના ઝોબ જિલ્લામાં એક આદિવાસી વડીલ અને તેના બે ભાઈઓ સહિત 7 લોકોને લઈ જતા વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, પાકિસ્તાની સમાચાર ડોન પત્ર મુજબ આ હુમલામાં તમામ લોકોના પણ મોત થયા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">