જરૂરી: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો સવારે કે સાંજે કસરત કરવાના શું છે ફાયદા

ફિટનેશ માટે ઘણા લોકો સવારે કસરત કરે છે તો કોઈ સાંજે કસરત કરે છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણે છે કે કયા સમયે કસરત કરવાના શું ફાયદા છે.

જરૂરી: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો સવારે કે સાંજે કસરત કરવાના શું છે ફાયદા
What is the best time to exercise? know what are the benefits of exercising in the morning or evening
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 7:35 PM

કેટલાક લોકો સવારે કસરત કરે છે તો કેટલાક લોકો સાંજે કસરત કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થતા હોય છે કે કસરત કરવા માટે કયો સમય શ્રેષ્ઠ હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે કયા સમયે વર્કઆઉટ કરવાના શું ફાયદા હોય છે.

સવારની કસરત ભીડથી દૂર રાખે છે

મોટાભાગના જીમ અને કસરતના સ્થળો સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ભરેલા હોય છે. જેના કારણે મશીનો અથવા સાધનની કસરત થઇ શકતી નહીં. સવારે પ્રમાણમાં ઓછી ભીડ હોય છે, જેથી સવારનો સમય કસરત માટે શ્રેષ્ઠ હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સવારની કસરત વધુ અનુકૂળ રહે છે

સવારે વર્કઆઉટ કરવા જવા માટે તમારે વધારે વિચારવાની જરૂર રહેતી નથી. તે જ સમયે, સાંજે જીમમાં જવા માટે, તમારે ઓફિસથી આવ્યા પછી થાક પણ લાગેલો હોય છે. જેના કારણે જીમમાં જવા માટે ઘણી વખત આળસ આવતી હોય છે.

ભૂખ વધારવા માટે સવારની કસરતનું મહત્વ

સવારે કસરત કરવાથી તમારી ભૂખ વધે છે, જેના કારણે તમારો નાસ્તો અને પોષણનું સેવન વધુ સંતુલિત રહે છે. આ સિવાય, વર્કઆઉટને કારણે, તમે દિવસ દરમિયાન વધુ પાણી પીવો છો જે ખૂબ જ સારી આદત છે.

સવારની કસરતથી ઊંઘ સારી આવે છે

સવારે કસરત કરવાથી તમે રાતે વહેલા સૂઈ જાઓ છો અને મોડી રાત સુધી જાગતા નથી. વહેલું ઊંઘવું અને સવારે વહેલા જાગવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઊંઘના અભાવને કારણે, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધે છે, જેના કારણે આપણે વધારે ખાઈએ છીએ. અને તમારા વજનને નિયંત્રિતની પણ તકલીફ પડે છે.

સાંજે વર્કઆઉટના ફાયદા

જે લોકો વહેલી સવારે ઉઠી નથી શકતા તે લોકો સવારે કસરત કરતા સમયે એકાગ્રતા ગુમાવી શકો છો અને તેના કારણે હાની પણ પહોંચી શકે છે. જેઓ સાંજે કસરત કરે છે, તેઓ દિવસ દરમિયાન જે પણ ઉર્જા બચાવે બચાવે છે, તેઓ તેનો ઉપયોગ દિવસના અંતે કસરત કરવા માટે કરે છે.

સાંજે કસરત કરવાથી તણાવ દૂર થાય છે

સાંજે કસરત કરવી એ દિવસના થાક પછી તણાવ દૂર કરવાની એક સરસ રીત છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો કરે છે, જેના કારણે લોકો વધારે ખાય છે અને વજન વધે છે. તેથી આખા દિવસનો તણાવ અને ગુસ્સો ઘટાડવા માટે સાંજે કસરત કરવી વધુ સારી છે.

સરળ છે વર્કઆઉટ પાર્ટનર શોધવું

જો તમે સાંજે કસરત કરો તો યોગ્ય વર્કઆઉટ પાર્ટનર શોધવાનું સરળ છે. પાર્ટનર કે મિત્ર સાથે, તમે ટ્રેડમિલ પર કસરત કરવા માટે સ્પર્ધા કરી શકો છો. અને આના કારણે સારી અને વધુ કસરત થઇ શકે છે.

વધુ લોહીનો પુરવઠો મળે

સાંજે કસરત કરવાથી પેશીઓને વધુ લોહીનો પુરવઠો મળે છે. રુધિરવાહિનીઓના વિસ્તરણથી લોહી દ્વારા ચામડી સુધી વહન થતી ગરમીનું પ્રમાણ વધે છે. જેના દ્વારા વધારાની ગરમી શરીરમાંથી દૂર કરી શકાય છે. તે સ્નાયુઓને ઓક્સિજન આપે છે અને પોષક તત્વોનો વધુ સારો પુરવઠો પૂરો પાડે છે.

તેથી, અહીં અમે તમને સવારે અને સાંજે કસરત કરવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. તમે તમારી અનુકુળતાએ અને તમારી જરૂરિયાત પ્રમાણેના સમયે કસરત કરી શકો છો.

આ પણ વાંચો: Health Tips : પગ પર સોજો આવવાની વાતને નાની ગણવાની ભૂલ ન કરતા, આ બીમારી હોય શકે છે

આ પણ વાંચો: Tips : જો તમે પણ તેલનો વારંવાર ઉપયોગ કરો છો તો ચેતી જજો, થઇ શકે છે મોટું નુકસાન

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">