AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Management : કેવી રીતે કરશો વજન નિયંત્રણ ? આ રહી ત્રણ આસાન પદ્ધતિઓ

વ્યક્તિએ તેના શરીરની(Body ) જરૂરિયાતોને સમજવી જોઈએ અને પછી પોતાના માટે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ઝડપી પરિણામ મેળવવા માટે શરીર સાથે કઠોર બનવાને બદલે, સ્વસ્થ ટેવો અપનાવો અને ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધવા માટે તમારું વલણ બદલો.

Weight Management : કેવી રીતે કરશો વજન નિયંત્રણ ? આ રહી ત્રણ આસાન પદ્ધતિઓ
વજન નિયંત્રણ કરવાની આસાન રીતો (પ્રતીકાત્મક તસ્વીર )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:12 AM
Share

ચેપ(Infection ) અને રોગોના ભય વચ્ચે, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની કોશિશ છે કે તે સ્વસ્થ (Health )રહે અને યોગ્ય વજન (Weight )ધરાવે. પરંતુ, વજન ઘટાડવું અને તેને જાળવવું એ એક કાર્ય છે જેના માટે સતત પ્રયત્નો કરવા પડે છે કારણ કે, આ કાર્યમાં સમય લાગે છે અને સતત પ્રયત્નોથી જ વજન વધતું અટકાવવું શક્ય છે. જ્યારે તંદુરસ્ત વેઇટ મેનેજમેન્ટની વાત આવે છે ત્યારે આદર્શ શરીરના વજનનું ધ્યાન હોવું જરૂરી છે. કેલરી-નિયંત્રિત આહાર અને પર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિ જાળવવી. વધુમાં, વ્યક્તિએ મજબૂત રોગપ્રતિકારક શક્તિ, તંદુરસ્ત જીવનશૈલી અને આદર્શ વજન સુનિશ્ચિત કરવા માટે રોજિંદા આહાર અને આરોગ્યની આદતોમાં કાયમી ફેરફારો કરવા જોઈએ.

વજન નિયંત્રણ માટે આ 3 પદ્ધતિઓ અનુસરો

1.પૌષ્ટિક ખોરાક લો

સ્વસ્થ જીવનશૈલી માટે સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માટે આ પહેલું પગલું છે. લાંબા ગાળે વજનને નિયંત્રિત કરવા માટે, તમારી ખાવાની આદતોની એક પેટર્ન બનાવો અને તેને અનુસરો. આ વારંવાર નાની ભૂખ અથવા તૃષ્ણાને નિયંત્રિત કરવાનું સરળ બનાવી શકે છે. તેમજ વધતા વજનને પણ રોકી શકાય છે.

સૌ પ્રથમ, એવી પદ્ધતિ અપનાવો જેના દ્વારા તમે દૈનિક આહારમાં તમારી કેલરીની માત્રાને નિયંત્રિત કરી શકો. તે વજનને નિયંત્રિત કરવા માટે પણ સરળ હોઈ શકે છે. આ સાથે, તમારા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.પૌષ્ટિક ખોરાકમાં વિવિધતાને પણ ધ્યાનમાં રાખો. આ સાથે, તમે તમારી પસંદગીના ખોરાકને ટાળ્યા વિના તેને ઓછી માત્રામાં ખાવાથી સ્વાદનો આનંદ માણી શકશો અને વજન ઘટાડવાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકશો.

2. સક્રિય રહો

નિયમિત વ્યાયામનું રહસ્ય એ છે કે તે વજન ઘટાડવા અને વેઇટ મેનેજમેન્ટને એક લયમાં લાવી આપવામાં પણ મદદ કરી શકે છે. વધારાની કેલરી બર્ન કરવામાં મદદ કરીને, નિયમિત વ્યાયામ દ્વારા સક્રિય રહેવું એ જીવનશૈલીના શ્રેષ્ઠ ફેરફારોમાંનું એક છે જે વ્યક્તિ અપનાવી શકે છે. જીવનશૈલીમાં એક નાનો ફેરફાર જેમાં અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી સતત એરોબિક કસરત દ્વારા કરી શકાય છે – જેમ કે ઝડપી ચાલવું. તેનાથી પરિણામ જોઈ શકાય છે.

3. સકારાત્મક બનો

માત્ર તંદુરસ્ત આહાર અને વ્યાયામ પૂરતું નથી, યોગ્ય આદતો સાથે સકારાત્મક વલણ સફળ વેઇટ મેનેજમેન્ટને સુનિશ્ચિત કરવા માટે જીવનશૈલીમાં કોઈપણ જરૂરી ફેરફારો કરી શકે છે. પહેલા, વ્યક્તિએ તેના શરીરની જરૂરિયાતોને સમજવી જોઈએ અને પછી પોતાના માટે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ઝડપી પરિણામ મેળવવા માટે શરીર સાથે કઠોર બનવાને બદલે, સ્વસ્થ ટેવો અપનાવો અને ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધવા માટે તમારું વલણ બદલો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Pregnancy Care : ગર્ભાવસ્થામાં જો મુસાફરી કરવી પડે તો કયા પ્રકારની રાખશો કાળજી ?

Health Tips : વિટામિન સી અને ઝીંકનું વધુ માત્રામાં સેવન કરવાથી થઇ શકે છે લીવરને નુકશાન : નિષ્ણાંતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">