કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય

ફેફસાં માટે પ્રદૂષણ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. ફેફસાના આ સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. આવ સ્થિતિમાં શરીરના ઘણા ભાગોને નુકસાન થાય છે.

કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય
Diseases by Pollution (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:07 PM

ભારતના મોટા શહેરોમાં હવામાં પ્રદૂષણ(Pollution)નું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે લોકોને શ્વાસ સંબંધી સમસ્યા (Respiratory problems)ઓ ઊભી થતી હોય છે. પ્રદૂષણને કારણે ફેફસા(Lungs)ને મોટા પ્રમાણમાં નુકસાન થતુ હોય છે, જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય છે.

વાહનોના ધૂમાડા, ધૂળ વગેરેને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતુ હોય છે. હવામાં ઓગળેલા પ્રદૂષણના આ નાનકડા કણો ફેફસાં માટે ઝેર સમાન છે. આ કણો શ્વાસ દ્વારા આપણા શરીર અને આંતરડામાં પ્રવેશ કરે છે. આવ સ્થિતિમાં તેઓ શરીરના તમામ ભાગો જેમ કે ફેફસાં, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, આંખો, વાળ, ત્વચા વગેરેને અસર કરે છે. તેથી તેમની જાળવણી ખૂબ જ જરુરી છે. જો જાળવણી ન કરીએ તો તે સ્વાસ્થ્ય માટે મોટુ જોખમ ઊભુ કરી શકે છે.

ધુમ્મસ શું છે? સામાન્ય રીતે સૌ માટે સ્મોગ શબ્દ પ્રચલિત છે. સાદી ભાષામાં તેને ઝાકળ કહે છે. વાસ્તવમાં, જ્યારે પ્રદૂષણના સૂક્ષ્મ કણો વાતાવરણમાં ચોંટી જાય છે, ત્યારે વાતાવરણ ધુમ્મસ જેવું દેખાવા લાગે છે, આને જ ધુમ્મસ કહેવાય છે. ફટાકડામાંથી નીકળતો ધુમાડો, કોલસો સળગાવવા, પરાળ સળગાવવા, ઔદ્યોગિક એકમોમાંથી ઉત્સર્જન, વાહનોમાંથી નીકળતો ધુમાડો વગેરે જેવા વિવિધ કારણોસર સ્મોગ થઈ શકે છે.

પ્રદૂષણના નાના કણો ધુમ્મસમાં જોવા મળે છે જે વાતાવરણમાં પ્રવાહી અથવા ઘન કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. આ સૂક્ષ્મ કણોનો વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો હોઈ શકે છે. તેમને ખુલ્લી આંખોથી જોવું અશક્ય છે. જ્યારે આ કણોની સંખ્યા નિશ્ચિત મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે તે વાતાવરણમાં ધુમ્મસના રૂપમાં દેખાવા લાગે છે. આ સ્થિતિમાં તે આપણા ફેફસાં, કિડની, લીવર, આંખો વગેરે જેવા તમામ અંગો માટે જોખમી સાબિત થઈ શકે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પ્રદૂષણથી બચી શકાય છે.

1. ધુમ્મસ દરમિયાન બહાર ફરવા જવાનું ટાળવુ. જો તમારે બહાર જવું જ હોય ​​તો માસ્કનો ઉપયોગ કરવો અથવા તમારા મોંને કપડાથી ઢાંકી રાખો અને કાપડનો ઉપયોગ બે સ્તરોમાં કરો.

2. મોર્નિંગ વોક માટે જવાનું ટાળો. જો જવું હોય તો પણ થોડા મોડા નીકળો અને ખાલી પેટે ન જાવ. તેમજ મોં અને નાકને સારી રીતે ઢાંકી રાખો.

3. બહાર જતી વખતે આંખોમાં ચશ્મા પહેરો અને બહારથી આવ્યા પછી આંખોને ઠંડા અને ચોખ્ખા પાણીથી સારી રીતે સાફ કરો.

4. ઘરની અંદર અને આસપાસ તુલસી અને મની પ્લાન્ટ વગેરે છોડ વાવો જે પર્યાવરણની શુદ્ધિ માટે કામ કરે છે.

5. શરીરમાં પાણીની કમી ન થવા દેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. ગોળ ખાઓ.

6. ઘરે યોગ અને કસરત કરો. તેનાથી તમારા શરીરના તમામ અંગો શુદ્ધ થઈ જશે. ખુલ્લી જગ્યાએ કસરત ન કરો, ઘરની અંદર કરો.

7. પુષ્કળ લીલા શાકભાજી અને ફળો ખાઓ, પરંતુ જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.

8. જો તમે અસ્થમા અથવા શ્વસનના દર્દી છો, તો ઘરની બહાર જવાનું સંપૂર્ણપણે ટાળો. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડતું હોય, તો તમારા ચહેરાને માસ્કથી ઢાંકો અને ઇન્હેલરને નજીક રાખો.

9. પોલીથીન, કચરો વગેરે સળગાવવાનું બંધ કરો. ઘરની આસપાસ વધુને વધુ વૃક્ષો વાવો અને લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરો.

ઉપર મુજબની બાબતોનું ધ્યાન રાખવાથી પ્રદૂષણથી ચોક્કસ માત્રામાં બચી શકાશે, પ્રદૂષણથી બચવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">