AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય

ફેફસાં માટે પ્રદૂષણ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. ફેફસાના આ સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. આવ સ્થિતિમાં શરીરના ઘણા ભાગોને નુકસાન થાય છે.

કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય
Diseases by Pollution (Symbolic Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:07 PM
Share

ભારતના મોટા શહેરોમાં હવામાં પ્રદૂષણ(Pollution)નું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે લોકોને શ્વાસ સંબંધી સમસ્યા (Respiratory problems)ઓ ઊભી થતી હોય છે. પ્રદૂષણને કારણે ફેફસા(Lungs)ને મોટા પ્રમાણમાં નુકસાન થતુ હોય છે, જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય છે.

વાહનોના ધૂમાડા, ધૂળ વગેરેને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતુ હોય છે. હવામાં ઓગળેલા પ્રદૂષણના આ નાનકડા કણો ફેફસાં માટે ઝેર સમાન છે. આ કણો શ્વાસ દ્વારા આપણા શરીર અને આંતરડામાં પ્રવેશ કરે છે. આવ સ્થિતિમાં તેઓ શરીરના તમામ ભાગો જેમ કે ફેફસાં, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, આંખો, વાળ, ત્વચા વગેરેને અસર કરે છે. તેથી તેમની જાળવણી ખૂબ જ જરુરી છે. જો જાળવણી ન કરીએ તો તે સ્વાસ્થ્ય માટે મોટુ જોખમ ઊભુ કરી શકે છે.

ધુમ્મસ શું છે? સામાન્ય રીતે સૌ માટે સ્મોગ શબ્દ પ્રચલિત છે. સાદી ભાષામાં તેને ઝાકળ કહે છે. વાસ્તવમાં, જ્યારે પ્રદૂષણના સૂક્ષ્મ કણો વાતાવરણમાં ચોંટી જાય છે, ત્યારે વાતાવરણ ધુમ્મસ જેવું દેખાવા લાગે છે, આને જ ધુમ્મસ કહેવાય છે. ફટાકડામાંથી નીકળતો ધુમાડો, કોલસો સળગાવવા, પરાળ સળગાવવા, ઔદ્યોગિક એકમોમાંથી ઉત્સર્જન, વાહનોમાંથી નીકળતો ધુમાડો વગેરે જેવા વિવિધ કારણોસર સ્મોગ થઈ શકે છે.

પ્રદૂષણના નાના કણો ધુમ્મસમાં જોવા મળે છે જે વાતાવરણમાં પ્રવાહી અથવા ઘન કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. આ સૂક્ષ્મ કણોનો વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો હોઈ શકે છે. તેમને ખુલ્લી આંખોથી જોવું અશક્ય છે. જ્યારે આ કણોની સંખ્યા નિશ્ચિત મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે તે વાતાવરણમાં ધુમ્મસના રૂપમાં દેખાવા લાગે છે. આ સ્થિતિમાં તે આપણા ફેફસાં, કિડની, લીવર, આંખો વગેરે જેવા તમામ અંગો માટે જોખમી સાબિત થઈ શકે છે.

કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પ્રદૂષણથી બચી શકાય છે.

1. ધુમ્મસ દરમિયાન બહાર ફરવા જવાનું ટાળવુ. જો તમારે બહાર જવું જ હોય ​​તો માસ્કનો ઉપયોગ કરવો અથવા તમારા મોંને કપડાથી ઢાંકી રાખો અને કાપડનો ઉપયોગ બે સ્તરોમાં કરો.

2. મોર્નિંગ વોક માટે જવાનું ટાળો. જો જવું હોય તો પણ થોડા મોડા નીકળો અને ખાલી પેટે ન જાવ. તેમજ મોં અને નાકને સારી રીતે ઢાંકી રાખો.

3. બહાર જતી વખતે આંખોમાં ચશ્મા પહેરો અને બહારથી આવ્યા પછી આંખોને ઠંડા અને ચોખ્ખા પાણીથી સારી રીતે સાફ કરો.

4. ઘરની અંદર અને આસપાસ તુલસી અને મની પ્લાન્ટ વગેરે છોડ વાવો જે પર્યાવરણની શુદ્ધિ માટે કામ કરે છે.

5. શરીરમાં પાણીની કમી ન થવા દેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. ગોળ ખાઓ.

6. ઘરે યોગ અને કસરત કરો. તેનાથી તમારા શરીરના તમામ અંગો શુદ્ધ થઈ જશે. ખુલ્લી જગ્યાએ કસરત ન કરો, ઘરની અંદર કરો.

7. પુષ્કળ લીલા શાકભાજી અને ફળો ખાઓ, પરંતુ જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.

8. જો તમે અસ્થમા અથવા શ્વસનના દર્દી છો, તો ઘરની બહાર જવાનું સંપૂર્ણપણે ટાળો. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડતું હોય, તો તમારા ચહેરાને માસ્કથી ઢાંકો અને ઇન્હેલરને નજીક રાખો.

9. પોલીથીન, કચરો વગેરે સળગાવવાનું બંધ કરો. ઘરની આસપાસ વધુને વધુ વૃક્ષો વાવો અને લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરો.

ઉપર મુજબની બાબતોનું ધ્યાન રાખવાથી પ્રદૂષણથી ચોક્કસ માત્રામાં બચી શકાશે, પ્રદૂષણથી બચવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">