AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ

બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરનો યુઝ કરે છે, તેમનામાં ઓબેસિટી વધવાનો ખતરો ખુબ છે. જાણો આ સમસ્યાના શું છે ઉપાય.

કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ
પ્રતિકાત્મક તસ્વીર
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 11:56 AM
Share

દેશમાં કોરોના ના કેસ ભલે ઓછા થઈ ગયા હોય પરંતુ કે કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. કોરોના પ્રતિબંધોને કારણે બાળકોમાં શારીરિક એક્ટિવિટી સતત ઘટી રહી છે. બાળકો સતત મોબાઈલ કે લેપટોપ સામે જોવા મળતા હોય છે.

જાડાં બાળકોમાં ડાયાબિટીસ, હૃદયરોગ, અસ્થમા, ઊંઘ સંબંધિત બીમારીઓનો ખતરો વધારે હોય છે. જોકે ઇન્ટરનેશનલ જનરલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો દિવસમાં બે વાર પણ ભોજનમાં શાકભાજી અને ફળોનું સેવન કરવામાં આવે તો ઓબીસીટીના ખતરાને 25 ટકા ઓછો કરી શકાય છે

આ સાથે જ અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર 6 થી 17 વર્ષના બાળકોએ રોજ અડધાથી એક કલાક સુધી મધ્યમથી સાધારણ શારીરિક ગતિવિધિઓમાં સામેલ થવું જોઈએ. સમતોલન ખાણીપીણી અને ઘરની અંદર પણ બાળકોને ફિઝિકલ ઍક્ટિવિટી કરાવવી જોઈએ. જેથી તેઓ ફીટ રહી શકે.

ઉંમર પ્રમાણે ડાયટ કેટલી રાખશો ?

ત્રણ વર્ષના બાળકને લગભગ 1000 લઈને 1400 અને 9 થી 13 વર્ષના કિશોરોને લગભગ 1400 થી 1800 કેલેરીની જરૂર પડે છે. તેમના ભોજનમાં આ ચાર વસ્તુ જરૂર સામેલ કરો.

1). ફળ અને શાકભાજી. જેનાથી તેમને વિટામિન ફાઈબર અને જરૂરી મિનરલ્સ મળશે.

2). મિક્સ નટ્સ. જેનાથી તેમને કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળશે

3). અનાજ

4). ડેરી પ્રોડક્ટ. ખાસ ધ્યાન રાખવું કે બાળકો જે ખાય તે પ્રમાણે શારીરિક એક્ટિવિટી પણ કરે.

Screen time ઘટાડો

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર બાળકોમાં ઓબેસિટી વધવાનું એક કારણ તેમનું સ્ક્રીન એક્સપોઝર પણ છે. જે બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરનો યુઝ કરે છે, તેમનામાં ઓબેસિટી વધવાનો ખતરો ખુબ છે. એટલું જ નહીં લાંબા સમય સુધી ટીવી સામે બેસવાની સાથે તેઓ વધારે નાસ્તાનું સેવન કરતા હોય છે. જેનાથી high sugar અને high fat ની સમસ્યાઓ જન્મે છે. જે ઓબેસિટીની પરિસ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર છે.

સારી આદતોની શરૂઆત તમારાથી કરો

બાળકોમાં સારી આદત શીખવાડવા માટે જરૂરી છે કે પેરેન્ટ્સ પોતે પણ તેમની સાથે ભાગીદાર બને. સંશોધનમાં એ જોવા મળ્યું છે કે માતા-પિતા જો ખાણીપીણીની સારી આદત અને ફિટનેસ માટે જાગૃતતા બતાવશે, તો તેનાથી બાળકો પણ તે સરળતાથી શીખશે. તે જ રીતે માતા-પિતાની ખરાબ આદતો હશે તો બાળકો પણ અપનાવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ

આ પણ વાંચો: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">