AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimer’s Disease: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

આ ખતરનાક બીમારીનું નામ છે અલ્ઝાઇમર. અલ્ઝાઇમર (Alzheimer's disease) એ મગજનો એક પ્રગતિશીલ રોગ છે જેમાં દર્દી શરીર પરનો પોતાનો નિયંત્રણ ગુમાવે છે. તેની યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે.

Alzheimer's Disease: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 08, 2021 | 9:43 AM
Share

તમે કદાચ હોલીવુડની ફિલ્મ 50 First Dates જોઈ હશે. આ ફિલ્મે ઘણા બધા અવોર્ડ પોતાને નામ કર્યા હતા. આ ફિલ્મ જેવી જ બોલીવુડમાં ફિલ્મ આવી હતી “યુ મી ઔર હમ”. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. જી હા આ બંને ફિલ્મ આજે એટલા માટે યાદ આવે કે આ ફિલ્મોની વાર્તા આ અહેવાલની બીમારી પર જ આધારિત છે.

અલ્ઝાઇમર એક ખતરનાક બીમારી

આ ખતરનાક બીમારીનું નામ છે અલ્ઝાઇમર. અલ્ઝાઇમર (Alzheimer’s disease) એ મગજનો એક પ્રગતિશીલ રોગ છે જેમાં દર્દી શરીર પરનો પોતાનો નિયંત્રણ ગુમાવે છે. તેની યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે. જોવા જઇએ તો આ બીમારીનું પ્રમાણ હવે વધ્યું છે. ટૂંકમાં ભૂલવાની બીમારી પણ અલ્ઝાઇમર જ છે.

અલ્ઝાઇમરની સારવાર માટેની દવાને મંજૂરી આપી

યુએસ સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આશરે 20 વર્ષના વિચાર-વિમર્શ પછી અલ્ઝાઇમર રોગની સારવાર માટેની નવી દવાને મંજૂરી આપી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ કહ્યું છે કે તે બાયોજેન કંપની દ્વારા વિકસિત દવાના ઉપયોગને મંજૂરી આપી રહી છે.

એફડીએએ કહ્યું છે કે નવી દવા રોગના પ્રભાવને પછો કરવામાં મદદ કરશે. તેમજ તેની આડઅસર પણ ઓછી થશે. આ નિર્ણયથી લાખો વૃદ્ધ અમેરિકન નાગરિકો અને તેમના પરિવારોને મોટી રાહત મળશે.

યાદશક્તિ ગુમાવવાની સ્પીડ ઓછી થશે

આ નવી દવા જાપાનની આઈસાઈ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસાવવામાં આવી છે. આ મગજમાં થતા નુકસાનની ભરપાઇ તો નહીં કરી શકે, પરંતુ તે ભવિષ્યમાં થતાં નુકસાનના દરને ચોક્કસપણે ધીમું કરશે. આ દવા દર ચાર અઠવાડિયામાં એકવાર આપવી પડશે. કેટલાક નિષ્ણાતો માને છે કે ડિમેન્શિયાના દર્દીઓને પણ આ દવાથી ફાયદો થશે. આનાથી તેમનામાં મેમરી લોસ થવાની એટલે કે યાદશક્તિ ગુમાવવાની સ્પીડ ઓછી થશે.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: જાણો કયા લોકો હવે માત્ર 28 દિવસ બાદ લઇ શકશે કોવિશિલ્ડનો બીજો ડોઝ

આ પણ વાંચો: રેશનનું અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">