AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ

PM મોદીએ સોમવારે એક મોટી જાહેરાત કરી હતી. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ અંગે કંગનાએ પણ પ્રતિક્રિયા આપી છે.

PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ
ફ્રી વેક્સિન પર કંગનાની સલાહ
| Updated on: Jun 08, 2021 | 9:40 AM
Share

ટ્વીટર પરથી કંગના રનૌતનું અકાઉન્ટ ડીલીટ થયા બાદ પંગા ગર્લના વિવાદ ઘટી ગયા છે. જી હા હવે ટે ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહે છે. અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપતી રહે છે. ચાલો તમને જણાવીએ કે કંગનાએ તાજેતરમાં દેશને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને થોડી સલાહ પણ આપી છે.

PM મોદીએ સોમવારે એક મોટી જાહેરાત કરી હતી. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ અંગે બોલીવુડ અભિનેત્રી કંગના પાછળ રહી જાય એવું તો બને જ નહીં. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ ઘોષણા બાદ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ જણાવ્યું હતું કે રસીકરણ બાદ લોકોએ તેમની ક્ષમતા અનુસાર પીએમ કેરેસ ફંડમાં દાન આપવું જોઈએ અને આવું કહેવા પાછળનું કારણ પણ તેણે સમજાવ્યું હતું.

કંગનાએ ઇન્સ્ટામાં સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે આજે કેન્દ્રએ વેક્સિન અભિયાનને રાજ્યો પાસેથી પાછું લઇ લીધું છે. આદરણીય પ્રધાનમંત્રીએ સૌને ફ્રી વેક્સિન આપવાની ઘોષણા કરી છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આનાથી દેશ પર કેટલો ભાર પડશે? તમે આ નંબરનો અંદાજ પણ નહીં લગાવી શકો. ઇન્સ્ટાગ્રામ યુઝર સહિત હું તે દરેકને વિનંતી કરું છું કે જેઓ સક્ષમ છે તેઓ વેક્સિન બાદ પીએમ કેર્સ ફંડમાં 100, 200 અથવા 1000 રૂપિયા દાન કરો. કૃપા કરીને વિચારશીલ બનો.

After the announcement of free vaccine, Kangana expressed her opinion, saying this

કંગનાની સલાહ

તમને જણાવી દઈએ કે, કંગના ઘણી વાર વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. ખુદ કંગનાને પણ કોવિડ -19 નો ફટકો પડ્યો હતો અને તેણે ઘરે જ સારવાલ લીધી હતી. બાદમાં કંગનાએ તેના અનુભવનો વિડીયો પણ શેર કર્યો હતો. કંગના ઘણી વાર તેના આકરા શબ્દોના કારણે ચર્ચામાં રહે છે. જો કે, ઘણી વખત તે ટ્રોલના નિશાન પર આવી જાય છે. તે જ સમયે તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ પર વિવાદો પણ થયા છે. આ કારણોસર તેનું ટ્વિટર એકાઉન્ટ પણ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

યામી ગૌતમના ફોટા પર વિક્રાંત મેસીએ કોમેન્ટ કર્યા બાદ સોમવારે કંગના પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી હતી. વિક્રાંતની ટિપ્પણી પર કંગનાએ તેને ટ્રોલ કર્યો હતો. આ પછી લોકો ટ્વિટર પર કંગનાને ટ્રેન્ડ કરાવી રહ્યા છે. અને કંગનાના ફેન્સ પણ અભિનેત્રીના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: જાણો કયા લોકો હવે માત્ર 28 દિવસ બાદ લઇ શકશે કોવિશિલ્ડનો બીજો ડોઝ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">