AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-Israel War Impact : લડ્યા વગર જ ભારત ચૂકવી રહ્યું છે યુદ્ધની ભારે કિંમત: માત્ર 4 દિવસના જંગમાં દેશ પર પડ્યો ₹2,000 કરોડનો વધારાનો બોજ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર ભારતના ખિસ્સા પર પડી રહી છે. કાચા તેલના ભાવમાં ઉછાળો અને ડોલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતે દરરોજ કરોડો રૂપિયા વધારાના ચૂકવવા પડી રહ્યા છે.

Iran-Israel War Impact : લડ્યા વગર જ ભારત ચૂકવી રહ્યું છે યુદ્ધની ભારે કિંમત: માત્ર 4 દિવસના જંગમાં દેશ પર પડ્યો ₹2,000 કરોડનો વધારાનો બોજ
Image Credit source: AI
| Updated on: Mar 04, 2026 | 3:38 PM
Share

મધ્ય-પૂર્વ (Middle East) માં વધતા તણાવની આર્થિક અસરો ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. ઈરાન સાથે જોડાયેલા આ સંઘર્ષની ભારત પર બેવડી અસર પડી રહી છે: પ્રથમ કાચા તેલના ભાવમાં વધારો અને બીજું ડોલર સામે રૂપિયાનું ધોવાણ. અનુમાન મુજબ, માત્ર ચાર દિવસમાં જ ભારત પર અંદાજે ₹2,000 કરોડથી વધુનો વધારાનો બોજ પડી ચૂક્યો છે.

તેલની આયાતથી 4 દિવસમાં કેટલું નુકસાન?

ભારત તેની જરૂરિયાત માટે દરરોજ લગભગ 50 લાખ (5 મિલિયન) બેરલ કાચું તેલ આયાત કરે છે.

  • ગણિત: જો સરેરાશ પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો માનીએ, તો ભારતે દરરોજ 50 મિલિયન ડોલર વધારાના ચૂકવવા પડે છે.
  • દૈનિક ખર્ચ: જો 1 ડોલરની કિંમત ₹91 ગણીએ, તો આ આંકડો દરરોજ અંદાજે ₹455 કરોડ જેટલો થાય છે.
  • કુલ ફટકો: આ હિસાબે માત્ર 4 દિવસમાં તેલ મોંઘું થવાને કારણે ભારત પર ₹1,820 કરોડનો વધારાનો બોજ વધી ગયો છે.

રૂપિયાના ઘટાડાથી પડ્યા પર પાટું

તેલ ઉપરાંત, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી પણ નુકસાન થઈ રહ્યું છે.

  • ભારતનું વાર્ષિક તેલ આયાત બિલ લગભગ 160 બિલિયન ડોલર છે.
  • જો રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ₹1 પણ ઘટે, તો વાર્ષિક બોજમાં ₹16,000 કરોડનો વધારો થાય છે.
  • આ 4 દિવસના સમયગાળામાં રૂપિયાની નબળાઈને કારણે ભારતને અંદાજે ₹175 થી ₹180 કરોડનું વધારાનું નુકસાન થયું છે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

આ મુદ્દે IIMC ના નિવૃત્ત પ્રોફેસરના જણાવ્યા અનુસાર, ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો સીધો આર્થિક દંડ ભારત જેવા આયાત-નિર્ભર દેશોએ ભોગવવો પડી રહ્યો છે. દરિયાઈ અને હવાઈ માર્ગોમાં અનિશ્ચિતતા વધવાથી કાર્ગો મુવમેન્ટ પ્રભાવિત થઈ રહી છે, જે આયાત અને નિકાસ બંને પર વિપરીત અસર પાડી શકે છે.

જો આ તણાવ લાંબો ચાલશે, તો ભારત માટે મોંઘવારીને કાબૂમાં રાખવી અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર બની જશે. ભારતે હવે વૈકલ્પિક સપ્લાય સ્ત્રોતો અને ચલણની સ્થિરતા જેવા પગલાં પર વધુ ભાર મૂકવો પડશે.

Holi Tip: શું તમારી કાર પણ હોળીના રંગોમાં રંગાઈ જવાની છે? સાવધાન! પેઇન્ટ બગડે તે પહેલાં કરી લો આ ‘સીક્રેટ’ કામ, વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">