ઉનાળામાં તરબૂચ સિવાય એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર શેતુર ખાવાથી પણ મળશે સ્વાસ્થ્ય લાભો

શેતૂર(Berry ) ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે. શેતૂરના પોષક તત્વો પાચનમાં સુધારો કરે છે અને તેના બળતરા વિરોધી ગુણધર્મો શરીરની બળતરા ઘટાડે છે, પેટનું ફૂલવું અને સ્થૂળતામાં રાહત આપે છે.

ઉનાળામાં તરબૂચ સિવાય એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર શેતુર ખાવાથી પણ મળશે સ્વાસ્થ્ય લાભો
ઉનાળામાં શેતુર ખાવાના ફાયદા (પ્રતીકાત્મક તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:28 AM

ઉનાળાની(Summer ) ઋતુમાં ઘણા મીઠા, ખાટા અને રસદાર ફળો (Fruits )આવે છે. કેરી, આમળા, તરબૂચ ઉપરાંત ઉનાળાનું આવું જ એક ખાસ ફળ છે શેતૂર(berry ). શેતૂર તેના એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. શેતૂરનું નાનું ફળ લીલા અને કાચા હોય ત્યારે અને તેને રાંધ્યા પછી પણ ખાવામાં આવે છે. શેતૂર પાક્યા પછી વધુ રસદાર અને સ્વાદિષ્ટ બને છે અને લાલ અને કાળા રંગના થઈ જાય છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન રૂજુતા દિવેકરે તાજેતરમાં શેતૂરના પોષક તત્વો અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉનાળામાં આ પૌષ્ટિક ફળ ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar)

આ સમસ્યાઓમાં શેતૂરનું સેવન ફાયદાકારક છે

આંખની બળતરા અને શુષ્કતા ઓછી થશે

જે લોકો લાંબા સમય સુધી મોબાઈલ જુએ છે અથવા લેપટોપની સામે કામ કરે છે તેઓ વારંવાર આંખનો થાક અને આંખોમાં શુષ્કતા અનુભવે છે. રૂજુતા દિવેકરના મતે, આવા લોકો માટે શેતૂરનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. શેતૂરમાં કેરોટીન અને ઝેક્સાન્થિન જેવા તત્વો મળી આવે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી શરીરને રોગો અને ચેપથી રક્ષણ મળે છે. વિટામિન સી અને ઘણા પ્રકારના મજબૂત એન્ટીઑકિસડન્ટ શેતૂરમાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારતા તત્વો માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં એલર્જીક પ્રતિક્રિયા, ફ્લૂ અને છાતીમાં જકડવું કે શરદી જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મળે છે.

પેટનું ફૂલવું અને વજન ઘટાડવું

શેતૂર ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે. શેતૂરના પોષક તત્વો પાચનમાં સુધારો કરે છે અને તેના બળતરા વિરોધી ગુણધર્મો શરીરની બળતરા ઘટાડે છે, પેટનું ફૂલવું અને સ્થૂળતામાં રાહત આપે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Child care: જાણો એવા ચિહ્નો જે સૂચવે છે કે તમારું બાળક યોગ્ય રીતે વિકાસ કરી રહ્યું છે કે નહીં

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">