AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલમાં નથી તો તમારી માટે રાજીવ દીક્ષિતે ઘરેલું ઉપાય જણાવ્યા છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે. જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકો છે. સાથે અનેક ઘરેલુ આદત થી તમે ડાયાબિટીસને કાબુમાં લાવી શકો છો.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:21 PM
Share

આયુર્વેદ અને સ્વદેશીના હિમાયતી, રાજીવ દીક્ષિત આપણી વચ્ચે નથી, પરંતુ ઘણા રોગો પર તેમની ટીપ્સ હજુ પણ અસરકારક છે. રાજીવ દીક્ષિતે કહ્યું હતું કે, આજકાલ ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ ખરાબ ભોજન છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: પિત્ત, વાયુ અને કફ માટે અર્જુનની છાલ રામબાણ ઈલાજ સમાન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે બ્લડ શુગર હાઈ હોય કે લો તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. તમારી શુગરને કંટ્રોલ કરવા માટે આ આયુર્વેદિક ઓષધીયો જે તમારા રસોડામાં છે તેનો ઉપયોગ કરી શકો છો.

જાંબુના બીજ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજ ખૂબ જ લાભદાયક છે. જો તમારૂ શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાંબુના બીજની શુગર કંટ્રોલમાં લઈ શકાય છે. આ માટે જાંબુના બીજને સુકવી પછી તેને દળીને પાવડર બનાવી લો. જાંબુના બીજોનો પાવડરનો રસ રોજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે પીવાથી શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આમળા

આમળા તમને શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળામાં હાઈપોગ્લાયકેમિકના ગુણ હોય છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. જો કે, તમે આમળાના બીજને પાવડરમાં પીસીને પણ ખાઈ શકો છો. આમળા શુગર લેવલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.

અંજીરના પાન

અંજીરના પાન પણ તમને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અંજીરના પાંદડામાં ડાયાબિટીકને નાથવાના ગુણ હોય છે, જે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે તમારી શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવવાથી લાભ થશે. જો કે તેને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.

મેથી

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથી લાભદાયક છે. મેથી દરેકના ઘરમાં જોવા મળશે. મેથીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ તેનાથી તમને ફાયદો થશે. જો તમે આ પ્રયોગ ટ્રાય કરશો તો બ્લડ શુગર લેવલ નિયંત્રિતમાં આવશે.

તજ

બ્લડ શૂગરના દર્દીઓ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેના થી શરીરના બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દરરોજ અડધી ચમચી તજ પાવડરનું સેવન કરો છો તો તમારૂ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
g clip-path="url(#clip0_868_265)">