AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલમાં નથી તો તમારી માટે રાજીવ દીક્ષિતે ઘરેલું ઉપાય જણાવ્યા છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે. જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકો છે. સાથે અનેક ઘરેલુ આદત થી તમે ડાયાબિટીસને કાબુમાં લાવી શકો છો.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:21 PM
Share

આયુર્વેદ અને સ્વદેશીના હિમાયતી, રાજીવ દીક્ષિત આપણી વચ્ચે નથી, પરંતુ ઘણા રોગો પર તેમની ટીપ્સ હજુ પણ અસરકારક છે. રાજીવ દીક્ષિતે કહ્યું હતું કે, આજકાલ ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ ખરાબ ભોજન છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: પિત્ત, વાયુ અને કફ માટે અર્જુનની છાલ રામબાણ ઈલાજ સમાન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે બ્લડ શુગર હાઈ હોય કે લો તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. તમારી શુગરને કંટ્રોલ કરવા માટે આ આયુર્વેદિક ઓષધીયો જે તમારા રસોડામાં છે તેનો ઉપયોગ કરી શકો છો.

જાંબુના બીજ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજ ખૂબ જ લાભદાયક છે. જો તમારૂ શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાંબુના બીજની શુગર કંટ્રોલમાં લઈ શકાય છે. આ માટે જાંબુના બીજને સુકવી પછી તેને દળીને પાવડર બનાવી લો. જાંબુના બીજોનો પાવડરનો રસ રોજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે પીવાથી શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આમળા

આમળા તમને શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળામાં હાઈપોગ્લાયકેમિકના ગુણ હોય છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. જો કે, તમે આમળાના બીજને પાવડરમાં પીસીને પણ ખાઈ શકો છો. આમળા શુગર લેવલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.

અંજીરના પાન

અંજીરના પાન પણ તમને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અંજીરના પાંદડામાં ડાયાબિટીકને નાથવાના ગુણ હોય છે, જે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે તમારી શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવવાથી લાભ થશે. જો કે તેને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.

મેથી

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથી લાભદાયક છે. મેથી દરેકના ઘરમાં જોવા મળશે. મેથીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ તેનાથી તમને ફાયદો થશે. જો તમે આ પ્રયોગ ટ્રાય કરશો તો બ્લડ શુગર લેવલ નિયંત્રિતમાં આવશે.

તજ

બ્લડ શૂગરના દર્દીઓ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેના થી શરીરના બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દરરોજ અડધી ચમચી તજ પાવડરનું સેવન કરો છો તો તમારૂ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">