Heart-Health Tips: શું તમે આ ખોરાક લઇને કયાંક તમારા હ્રદયને તો નુકસાન નથી પહોંચાડી રહયાને..

હાર્ટ એટેકના લક્ષણો જોઇએ તો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય પરસેવો, ઉબકા, શરીરના ઉપરના ભાગમાં દુખાવો, ચક્કર આવવા...

Heart-Health Tips: શું તમે આ ખોરાક લઇને કયાંક તમારા હ્રદયને તો નુકસાન નથી પહોંચાડી રહયાને..
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:29 PM

તાજેતરમાં જ લોકપ્રિય કલાકારો સિદ્ધાર્થ શુકલા (Siddharth Shukla)કે જે બિગબોસ 13(Big Boss 13)નો વિજેતા હતો અને પુનીત રાજકુમારનું કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું હતું. આ ઘટના બાદ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ(Cardiac arrest)ને લઇને ઘણી જાગૃતિ વઘી છે. આરોગ્ય નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યકત કરી છે કે આ માત્ર શ્રીમંત અને ઉચ્ચ વર્ગના લોકોની જ નહીં, પરંતુ આપણા દેશના દરેક વ્યક્તિની સમસ્યા છે.

હૃદયરોગનો હુમલો ત્યારે થઇ શકે છે, જ્યારે હૃદયના સ્નાયુમાં ઓક્સિજન સપ્લાય કરતી ધમનીઓમાં કોઇ અવરોધ ઉભો થાય અથવા સાંકડી થવાને કારણે લોહીનો પ્રવાહ ઘટાડે છે. હાર્ટ એટેકના લક્ષણો જોઇએ તો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય પરસેવો, ઉબકા, શરીરના ઉપરના ભાગમાં દુખાવો, ચક્કર આવવા.

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હાર્ટ એટેક પણ સાવ શાંત રીતે પણ આવી શકે છે. મસીના હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રૂચિત શાહ અને ગ્લોબલ હોસ્પિટલ્સના આરડી ચીફ ડાયટિશિયન ઝમુરુદ એમ પટેલે આવા અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે તેવા ખોરાક અને પીણાંની યાદી આપી છે, જે નીચે મુજબ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1) આલ્કોહોલિક પીણાં અને દવાઓ :

આલ્કોહોલનું વધુ પડતું સેવન સીઘું કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ અને વઘુપડતી સાયકોટ્રોપિક દવાઓ જેવા વ્યસનકારક પદાર્થોને ટાળો. ડ્ર્ગ્સનો દુરુપયોગ એ અચાનક કાર્ડિયાક અરેસ્ટના સૌથી મહત્વપૂર્ણ કારણોમાંનું એક છે. દરેક વ્યક્તિએ તમાકુ, સિગારેટ, આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ.

2) નિકોટિનયુકત પીણાં :

કેફીનનું વઘુ પડતું સેવન સીઘું કાર્ડિયાક અરેસ્ટમાં પરિણમે છે. ગુઆરાના, જિનસેંગ અને ટૌરિન જેવા અનેક એનર્જી ડ્રિંકમાં કેફીનની સાંદ્રતા વઘુ હોય છે.

3) ફ્રુક્ટોઝ-આધારિત પીણાં અને ખોરાક :

વધુ પડતી ખાંડનું સેવન તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે, જ્યારે વાયુયુક્ત પીણાં, ચોકલેટ અને અન્ય ખાંડ-આધારિત ખોરાક તમારા હ્રદયને ગંભીર રીતે અસર કરી શકે છે.

4) ટ્રાન્સ ફેટ-આધારિત ખોરાક :

પેકેજ્ડ ફૂડ્સ, પિઝા, પાસ્તા અને વધુ શેકેલો ખોરાકના વપરાશને સદંતર બંઘ કરવો જોઈએ.

5) બીફ/ ઉચ્ચ કોલેસ્ટ્રોલ આધારિત ખોરાક :

બેકડ ખોરાકમાં બેવડી સંતૃપ્ત ચરબી છુપાયેલી હોય છે, અને તેમાં સામાન્ય રીતે કોઈ પોષક મૂલ્ય હોતું નથી. જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને વઘારે છે. ખાસ કરીને તળેલા ખોરાક, ઈંડા અને ઈંડાની વાનગીઓ, ઓર્ગન મીટ, પ્રોસેસ્ડ મીટ અને સુગરયુક્ત પીણાંને તમારે તાત્કાલિકપણે લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં, ઓછી ચરબીવાળા ઉત્પાદનો, અને તાજા ખોરાક જેવા કે દૂઘ, દહીં જેવા આરોગ્યપ્રદ વિકલ્પોનો સમાવેશ કરવો જોઇએ.

આરોગ્ય નિષ્ણાંતોએ તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવાની ભલામણ કરી છે મતલબ કે શાકભાજી, ફળો અને સલાડમાં ન્યુમતમ માત્રામાં મીઠું, ઓછી ચરબીયુક્ત આહાર અને જો શક્ય હોય તો દરરોજ અથવા શક્ય હોય તો અઠવાડિયામાં 5થી 6 વખત ઓછામાં ઓછી 30થી 45 મિનિટની શારીરિક કસરત કરવી જ જોઇએ. તો જ તમે કાર્ડિયાક અરેસ્ટથી બચી શકશો.

આ પણ વાંચો-Anand: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ બાળકોનું ચેકઅપ કરાશે, મોબાઇલ હેલ્થ ટીમના 15 વાહનોનું પ્રસ્થાન કરાવાયું

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">