Health Tips: આપણે સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ. યોગ, કસરત, મોર્નિંગ વોક અને ડાયેટિંગની કેટલીક ટીપ્સ છે, જેને મોટાભાગના લોકો અનુસરે છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ખાવા- વિશે ઘણી વસ્તુઓ લખાઈ છે જે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત નથી કરતી, પરંતુ તમારું વજન પણ નિયંત્રિત કરે છે. આવો, જાણો આયુર્વેદના તે નિયમો શું છે
બાફીને અથવા અડધા ઉકાળીને શાકભાજી ખાઓ
જો તમે શાકભાજી સંપૂર્ણ રાંધેલા અથવા વધુ ખાવ છો તો પછી ખાતરી કરો કે તમે વધારેના રાંધો આ કરવાથી તેના પોષક તત્વો ઓછા થાય છે. પરંતુ જો તમે તેમને ઓછા રાંધો છો તો પણ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. ભોજન બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તમે શાકભાજીને વધુ પડતી રાંધશો નહીં અથવા તેને કાચી પણ ના રાખશો.
કાચા મસાલાને શેકીને ઉપયોગમાં લો
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખડા મસાલાને તપેલી પર શેકી લો અને તેને પીસી લો. ખાસ કરીને શિયાળા અથવા વરસાદની ઋતુમાં તમે તપેલી પર આદુ શેકીને ખાઈ શકો છો.
લોટનો ચાળીને ઉપયોગ ના કરવો
ઘઉંમાં ફાઈબર હોય છે. પરંતુ તેનો મોટાભાગનું ફાયબર બ્રાઉન ભાગમાં હોય છે. તેથી જ્યારે પણ તમે લોટનો ઉપયોગ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ ચાળયા વગર કરો. આ લોટ આરોગ્ય માટે સારો માનવામાં આવે છે.
ઠંડા ખોરાક ખાવાથી પાચન પ્રવૃત્તિ નબળી પડે છે
કોલ્ડ ફૂડ ખાવાનું ટાળો. તે તમારા પાચનને અસર કરી શકે છે. આ સાથે ધ્યાનમાં રાખો કે ક્યારેય સંપૂર્ણ પેટ ભરીને ના ખાવો. આયુર્વેદ અનુસાર ખોરાક પૂરતો ન ખાવાથી સરળતાથી પચે છે.
ગળપણ ઓછું ખાઓ આયુર્વેદ મુજબ ગળપણવાળો ખોરાક ઓછો ખાવો જોઈએ. તમે મધ અથવા ગોળનો ઉપયોગ ગળપણના વિકલ્પ તરીકે કરી શકો છો. આ તમને ડાયાબિટીઝ જેવા રોગોથી બચાવી શકે છે.
આ પણ વાંચો: Bread ખાવી સ્વાસ્થ્ય માટે કેટલી છે ફાયદાકારક ? બ્રેડ ખાતા સમયે રાખો આ ધ્યાન