
આ ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. શરીરના આગળના ભાગોમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. આ કારણોસર, શિયાળામાં એક નાની ઈજા પણ તીવ્ર પીડાનું કારણ બની શકે છે. વધુમાં તળેલા ખોરાક ખાવા, વ્યાયામ ન કરવો અને ડીહાઈડ્રેશન આ સમસ્યાને વધારે છે.

શિયાળામાં આપણું શરીર હૃદયની નજીકનું લોહી ગરમ રાખવા માગે છે અને તેના કારણે સાંધામાં લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને સાંધામાં વધુ દુખાવો થાય અને જકડાઈ જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેમને અગાઉ ઓર્થોપેડિક ઈજા થઈ હોય, ક્યારેય હાડકામાં ફ્રેક્ચર કે મચકોડ વગેરે થઈ હોય તેમને પણ શિયાળામાં દુખાવાની સમસ્યા રહે છે.
Published On - 9:27 pm, Fri, 31 December 21