Health: સાવધાન, શું તમે પણ ફળોના સેવન દરમિયાન કરો છો આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન!

ઘણીવાર લોકો ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનીને એવી અનેક ભૂલો કરી બેસે છે, જે ફાયદાને બદલે નુકસાન કરે છે. ફળોનું સેવન કરતી વખતે તમે વારંવાર થતી ભૂલો વિશે જાણો.

Health: સાવધાન, શું તમે પણ ફળોના સેવન દરમિયાન કરો છો આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન!
symbolic picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:46 PM

સ્વસ્થ રહેવા માટે ફળોના સેવનની સલાહ આપવામાં આવે છે. તજજ્ઞોના મતે રોજ એક સમયે ફળોને આહારમાં લેવા સારી બાબત બની શકે છે. તેમાં રહેલા વિટામિન્સ, પોટેશિયમ અને મિનરલ્સ જેવા પોષક તત્વો શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળોની વિશેષતાની વાત કરીએ તો માત્ર ફળો ખાવાથી આપણે ઘણા દિવસો સુધી જીવિત રહી શકીએ છીએ. ફળોના સેવનથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને રોગો આપણાથી દૂર રહે છે.

પરંતુ જો આપણે આ ફળોને ખાવાની સાચી રીતનું પાલન ન કરીએ તો નુકસાન પણ સહન કરવું પડે છે. ઘણીવાર લોકો ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનીને આવી અનેક ભૂલો કરી બેસે છે, જે ફાયદાને બદલે નુકસાન કરે છે. ફળોનું સેવન કરતી વખતે તમે વારંવાર થતી ભૂલો વિશે જાણો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ખાવાનો ખરો સમય

લોકો માને છે કે ફળો સ્વાસ્થ્ય માટે સારા છે, તેથી તેને ગમે ત્યારે ખાઈ શકાય છે, પરંતુ એવું નથી. મોટાભાગના ફળોના સેવન માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં બનાના શેક, સફરજન અને અન્ય ફળોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ખાટાં ફળો ઘણીવાર એસિડિટીનું કારણ બને છે અને તેમાં સંતરા અને મોસંબીના ફળો સામેલ છે. જો આ ફળો સવારે ખાલી પેટ ખાવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે.

તરબૂચ પર પાણી

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકો પણ તરબૂચ ખાધા પછી તરત જ પાણી પીવે છે. નિષ્ણાતોના મતે આનાથી ડાયેરિયા કે કોલેરા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ ફળોમાં મોટા પ્રમાણમાં પાણીની માત્રા હોય છે અને આ કારણથી વ્યક્તિએ તેને ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ.

તાસીર અનુસાર ફળની પસંદગી

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકો ફળની પસંદગી તેની તાસીર અનુસાર નથી કરતા અને તેના કારણે તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. જો ગરમ તાસીરવાળા લોકો અનાનસ, નારંગી અને કેળા જેવા ફળોનું સેવન કરે છે તો તેમને સમસ્યા થઈ શકે છે. બીજી તરફ ઠંડા તાસીરવાળાઓએ પપૈયા અને કેરી જેવા ફળોના સેવનથી દૂર રહેવું જોઈએ.

દહીં અથવા દૂધ સાથે લેવા

ઘણા લોકો દહીં અથવા દૂધ સાથે ફળ ખાવાના શોખીન હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ભલે આ પદ્ધતિ સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ફરિયાદો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દહીં અને ફળ એક સાથે ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પથરીની સમસ્યા

જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ વિના કોઈપણ ફળ ખાવુ ન જોઈએ. તેનાથી તેમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: તાલિબાને તેના રંગ બતાવવાનું શરૂ કર્યું! ચૂંટણી સંસ્થાઓ અને બે મંત્રાલયો કર્યા બંધ, કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં તેમની જરૂર નથી’

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બીજી વાર બનવા જઈ રહ્યો છે પિતા? સોશિયલ મીડિયા પર લોકોએ પાઠવ્યા અભિનંદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">