ગુડ ન્યૂઝ: ડાયાબિટીસના દર્દીઓ હવે ખાઈ શકશે ખાંડ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ સ્ટોરી

આપણે બધા જાણીએ છીએ કે એકવાર આપણને ડાયાબિટીસ થાય છે, આપણે મીઠાઈઓ ખાવાનું બંધ કરી દઈએ છીએ, આપણે ઈચ્છીએ તો પણ મીઠાઈ ખાઈ શકતા નથી, પરંતુ હવે જો તમને ડાયાબિટીસ હશે તો પણ તમે મીઠાઈ ખાઈ શકશો અને ડોક્ટરો પણ તમને મીઠાઈ ખાતા રોકી નહી શકે. તમામ વિગતો જાણવા માટે વાંચો આ સ્ટોરી.

ગુડ ન્યૂઝ: ડાયાબિટીસના દર્દીઓ હવે ખાઈ શકશે ખાંડ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ સ્ટોરી
ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશખબર, હવે ખાઈ શકશે ખાંડ
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Mar 20, 2024 | 7:03 PM

ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે કે જેમાં તે હવેથી ખાંડ પણ ખાઈ શકશે સાથે તેમને કોઈ રોકટોક પણ નહી કરે. જી હાં તમે બિલકુલ સાચુ વાંચી રહ્યા છો કેમકે કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટે એવી ખાંડની શોધ કરી છે જેનાથી તમને ડાયાબિટીસ જેવી બીમારી થશે નહીં.

આ અંગે સંસ્થાના ડાયરેક્ટર નરેન્દ્ર મોહને વિગતો આપતા જણાવ્યું હતું કે ખાંડમાં જી.આઈ. એટલે કે ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો રહેશે જેને લઈને બ્લડમાં સુગર લેવલને નુક્શાન નહી પોંહચાડી શકે. આ ઓછી જી.આઈ. વાળી ખાંડનો ઉપયોગ આર્ટિફિશ્યલ સુગર તરીકે પણ કરી શકાય છે.

આ અંગે વધુ માહિતિ આપતા નરેન્દ્ર મોહને જણાવ્યું કે બધાને એ જાણવાની ઈંતેજારી રહેતી હોય છે કે આ ખાંડમાં છેવટે હશે શું? તો જણાવી દઈએ કે દાણેદાર ખાંડ બનાવવા માટે શેરડીના રસને કુદરતી રીતે જ ફિલ્ટર કરીને લો જી.આઈ. વાળી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ખાંડમાં તમને વિટામીન એ, બી 12, મેગ્નેશ્યિમ, ઝિંક વગેરે વિટામિન્સ પણ ઉમેરી શકાશે. આ પ્રકારની ખાંડ કે ઉત્પાદનો કોલેસ્ટ્રોલથી લઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ખાંડ પર રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે

કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આના પર સંશોધન કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થાએ તો ટેકનિકલ રિસર્ચ પેટન્ટ માટે પણ એપ્લિકેશન કરવામાં આવી છે. મળતી સૂત્રીય માહિતિ અનુસાર આ ખાંડના સંશોધન પાછળની ટીમમાં અનુષ્કા કનોડિયા સાથે શ્રુતિ શુક્લા, સ્વેચ્છા સિંહનો સમાવેશ થાય છે

ડાયાબિટિસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે શોધ

ભારતમાં અને એમા પણ ગુજરાતમાં તો બ્લડ સુગરના દર્દીઓ દર દશમાંથી એકાદ તો મળી જ જાય છે તેવા સંજોગોમાં વધતા સુગરના દર્દીઓની સંખ્યા 10 કરોડને પાર જતી રહી છે જે એક મોટો આંકડો છે. લાઈફ સ્ટાઈલ સાથે આદતોના પ્રતાપે સુગરના દર્દીઓ વધી રહ્યા છે સાથે તેની આડઅસરના કારણે કિડની, હાર્ટ, આંખો જેવી બિમારીઓ પણ ઉમેરાવા લાગી છે. આ બધા વચ્ચે શરીરનું રક્ષણ કરવું જરૂરી છે. ડૉક્ટરોની સલાહ મુજબ ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">