AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાંતના દુખાવાથી થઈ રહ્યા છો હેરાન? તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જાણો આ પાંચ રીતો

દાંતમાં અચાનક દુઃખાવો થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે દાંતને યોગ્ય રીતે સાફ ન કરવા અથવા નિયમિત સમય પર ઊંઘતા પહેલા મીઠાઈ ખાવી અને મોઢું ન ધોવું.

દાંતના દુખાવાથી થઈ રહ્યા છો હેરાન? તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જાણો આ પાંચ રીતો
Health Tips: 5 Home Remedies for Toothache
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:29 AM
Share

ઘણા લોકો દાંતના દુખાવાથી પરેશાન થાય છે. દરરોજ કોઈક વ્યક્તિ આ સમસ્યા સાથે હેરાન થાય છે. જો કે આપણે પોતે પણ આ સમસ્યાનું કારણ છે કારણ કે આપણે ન તો ખોરાક યોગ્ય રીતે ખાઈએ છીએ કે ના તો રાત્રે સૂતા પહેલા વારંવાર અથવા બ્રશ કરવાની આપણે આદત ધરાવીએ છે.

જ્યારે અચાનક દાંતના દુઃખાવાનો ઉપાય સરળ અને અસરકારક છે. પણ જો આ દાંતનો દુઃખાવો વધી જાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જ્યારે પીડા ઓછી હોય છે ત્યારે આ ઘરેલું ઉપાય અસરકારક છે. જો કે, જો લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો તમારે તપાસ માટે દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ. અહીં 5 રીતો છે જેના દ્વારા તમે ઘરે દાંતના દુઃખાવાથી છુટકારો મેળવી શકો છો.

દાંતના દુઃખાવાથી છૂટકારો મેળવવાનો આ સૌથી અસરકારક અને સરળ રસ્તો છે. તમારે ફક્ત ઉકળતા પાણીમાં મીઠું ઉમેરવાનું છે, તેને ઓગળવા દો અને પછી આ પાણીથી તમે કોગળા કરો. તે કુદરતી જીવાણુનાશક છે અને તમારા મોંમાંથી કણોને દૂર કરે છે.

કોલ્ડ કોમ્પ્રેસ

તમારા દાંતના દુઃખાવાનો ઇલાજ કરવાનો બીજો સરળ રસ્તો એ છે કે સોજાવાળા વિસ્તારને બરફથી શેક કરવો. જ્યાં દુઃખાવો થાય ત્યાં આઇસ પેક મુકો. આઇસ પેક એ વિસ્તારને સુન્ન કરશે અને પીડા ઘટાડશે.

લવિંગ

દાંતના દુખાવાનો ઉપચાર કરવાની એક પ્રાચીન પદ્ધતિ લવિંગ છે. તે ખૂબ ફાયદાકારક છે જે અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવામાં આવે છે. તમે લવિંગ તેલ કાઢી શકો છો અને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો, તે નિશ્ચિતરૂપે તમને પીડાથી રાહત આપશે.

ટી બેગ

દાંતના દુખાવા માટે ફુદીનાના ટીબેગ ફાયદાકારક છે. અસર ઓછી થાય ત્યાં સુધી થોડી મિનિટો માટે અસરગ્રસ્ત વિસ્તાર સામે હળવા હૂંફાળું ટી બેગ મુકો. આ ઠંડક આપશે અને પીડા સુન્ન કરશે.

લસણ

લસણમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર કરવા માટે થઈ શકે છે. તમે લસણને ભૂકો કરી શકો છો અને અસરગ્રસ્ત ક્ષેત્ર પર તેને લગાવી શકો છો અથવા તમે લસણનો ટુકડો ચાવવી શકો છો. આ પીડાને દૂર કરશે અને સોજો ઘટાડશે.

આ પણ વાંચો: Dengue : અમદાવાદમાં કોરોના બાદ ડેન્ગ્યુનો ભરડો, ગત વર્ષ કરતા 5 ગણા વધુ કેસો નોંધાયા

આ પણ વાંચો: Garlic For Winter: લસણ બચાવશે તમને શિયાળાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી, જાણો અમુલ્ય ફાયદા

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">