AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Midnight Hunger: મિડનાઇટમાં ભૂખ લાગે તો ખાઓ આ 7 ખોરાક, જાણો ડાયેટિશિયનની સલાહ

મોટાભાગના લોકોને રાત્રે અચાનક ભૂખ લાગે છે. અથવા એમ પણ કહી શકાય છે કે ઘણા લોકોને મિડનાઇટમાં કંઈક ખાવા માટે મન થાય છે. મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચિપ્સ અને નાસ્તાનો આશરો લે છે. પરંતુ આ શરીર માટે હાનિકારક હોઈ શકે છે.

Midnight Hunger: મિડનાઇટમાં ભૂખ લાગે તો ખાઓ આ 7 ખોરાક, જાણો ડાયેટિશિયનની સલાહ
Midnight HungerImage Credit source: Freepik
| Updated on: Apr 22, 2026 | 9:03 AM
Share

મિડનાઇટમાં ક્યારેક ભૂખ લાગે તો આ સામાન્ય વાત છે. પરંતુ જો દરરોજ તમને મિડનાઇટ ભૂખ લાગે તો તેનું કારણ મોડીરાત સુધી જાગવું પણ હોઈ શકે છે. આજકાલ ઘણા લોકો કામ કે મોબાઇલ વાપરવાના કારણે મોડીરાત સુધી જાગતા હોય છે. જેના કારણે આ સમસ્યા વધે છે. ડાયેટિશિયનના મતે, આ સમયે ભારે ખોરાક લેવો સ્વાસ્થ માટે યોગ્ય નથી. ચિપ્સ, કુકીઝ કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવા હલકા સ્નેક્સ પણ શરીર માટે અનહેલ્ધી હોય છે.

જ્યારે તમને મિડનાઇટમાં ભૂખ લાગે છે, ત્યારે તમે ઘણીવાર કંઈક ઝડપી ખાવાની ઇચ્છા રાખો છો. પરિણામે લોકો પ્રોસેસ્ડ ફૂડ અથવા ઓનલાઈન ખોરાકનો ઓર્ડર આપે છે. પરંતુ આ ખોરાક સ્વાસ્થને નુકસાન પહોંચાડી શકે છે અને ઊંઘ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.

મિડનાઇટમાં શું ન ખાવું?

ડાયેટિશિયનના મુજબ, મિડનાઇટમાં ભૂખ લાગે ત્યારે તળેલું અને ભારે ખોરાક ખાવો ટાળવો જોઈએ. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી એસિડિટી, કબજિયાત અને અસ્વસ્થતા જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ આ પ્રકારના ખોરાકમાં મીઠું વધુ હોય છે, જેના કારણે વારંવાર ઊંઘમાં ખલેલ પડી શકે છે. વધુ મીઠાઈ ખાવાથી બ્લડ શુગર પણ વધી શકે છે.

મિડનાઇટમાં શું ખાવું?

ડાયેટિશિયનના મુજબ, મિડનાઇટમાં જો ભૂખ લાગે તો હૂંફાળું દૂધ પીવું એ એક સારો વિકલ્પ છે. ઉપરાંત બદામ અને અખરોટ જેવા નટ્સ ખાઈ શકાય છે. કેળા અને ઓટ્સને પણ સારા વિકલ્પ માનવામાં આવે છે. આ ખોરાકમાં મેગ્નેશિયમ હોય છે. જે શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં પણ મદદ કરે છે.

આ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે

ડાયેટિશિયનના મતે, મોડી રાત્રે ભૂખ લાગે ત્યારે પ્રોટીન અને ફાઈબર યુક્ત હળવો ખોરાક લેવો જોઈએ. જે પેટ ભરેલું રાખે છે. પ્રોટીન અને ફાઈબર યુક્ત ખોરાક પાચનમાં સરળ હોય છે. મખાના, ફળો, શેકેલા ચણા જેવા હળવા અને હેલ્ધી સુપરફૂડ ખાવા જોઈએ. હળદર વાળું દૂધ પીવાથી ઊંઘમાં સુધારો થાય છે.

કાનુની સવાલ : ટેક્સી કે બાઈક રાઈડ દરમિયાન ડ્રાઈવર અસભ્ય વર્તન કરે છે ? તરત જ અહીં કરો ફરિયાદ, જાણો તમારા હક્ક અને કાનૂની રસ્તા

Follow Us
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">