AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા પાલતુ શ્વાનને પણ થઈ શકે છે ડિમેન્શિયા બીમારી, જાણો તેના વિશે

જેમ માણસોનું મગજ ઉંમર સાથે નબળું પડે છે, તેમ શ્વાનનું મગજ પણ ઉંમર સાથે નબળું પડે છે. તેથી, શ્વાનને પણ ઉંમર વધવાની સાથે ડિમેન્શિયા થઈ શકે છે. જેને કેનાઈન કોગ્નિટિવ ડિસફંક્શન (CCD) તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી શ્વાન માટે રોજિંદા જીવન ખૂબ મુશ્કેલ બની શકે છે. ચાલો તેના લક્ષણો (ડોગ ડિમેન્શિયા સિમ્પ્ટમ્સ) અને આ સમય દરમિયાન કઈ કાળજી લેવી જરૂરી છે તે વિશે જાણીએ.

તમારા પાલતુ શ્વાનને પણ થઈ શકે છે ડિમેન્શિયા બીમારી, જાણો તેના વિશે
Dog Dementia: Early Symptoms and Care Tips Every Pet Owner Must Know
| Updated on: Dec 09, 2025 | 5:00 PM
Share

કોઈપણ પાલતુ શ્વાન માલિક માટે પોતાના શ્વાનને વૃદ્ધ થતો જોવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ઉંમર વધવાની સાથે, તેમની ચંચળતા ઓછી થાય છે, તેમની ઇન્દ્રિયો નબળી પડે છે અને તેમના રૂંવાટી ભૂરા થઈ જાય છે. જ્યારે પાલતુ શ્વાન માલિકો આ ફેરફારો માટે તૈયાર હોય છે, ત્યારે એક એવો ફેરફાર છે જેની મોટાભાગના લોકો અપેક્ષા પણ રાખતા નથી.

શ્વાનની ઉંમર વધવાની સાથે, તેમને કેનાઇન કોગ્નિટિવ ડિસફંક્શન થઈ શકે છે. આ સ્થિતિ, જેને સામાન્ય રીતે ડોગ ડિમેન્શિયા તરીકે ઓળખવામાં આવે છે, તે મગજમાં વૃદ્ધત્વ સાથે થતા ફેરફારોને કારણે થાય છે, જે મનુષ્યોમાં ડિમેન્શિયા જેવા જ છે. તે એક ન્યુરોડિજનરેટિવ સ્થિતિ છે જે ધીમે ધીમે આગળ વધે છે અને શ્વાનના રોજિંદા જીવનને અસર કરવાનું શરૂ કરે છે.

તેથી, શ્વાનના માલિકો માટે CCD ના લક્ષણો ઓળખવા અને યોગ્ય સારવાર અને સંભાળ દ્વારા તેમના પ્રિય શ્વાનનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. ચાલો શ્વાનના ડિમેન્શિયાના લક્ષણો અને આ સમય દરમિયાન તેમની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે જાણીએ.

લક્ષણો કેવી રીતે ઓળખવા?

CCD ના લક્ષણો અચાનક દેખાતા નથી, પરંતુ ધીમે ધીમે દેખાય છે. શરૂઆતના ચિહ્નોમાં ઘણીવાર સામેલ હોય છે,

  • રાત્રિના સમયે બેચેની: રાત્રે અશાંતિ અનુભવે, ઘરમાં ભટકવું, અકારણ ભસવું અથવા ઊંઘના નિયમમાં ગડબડ થવી.
  • દિવસ દરમિયાન સુસ્તી: પહેલા કરતાં ઓછી સક્રિયતા, રમવામાં કે ફરવા જવામાં ઓછી રુચિ.
  • સામાજિક વર્તણૂકમાં ફેરફાર: તેમના માલિક અથવા અન્ય પાલતુ પ્રાણીઓ સાથે સંપર્ક ઓછો કરવો, અથવા વિચિત્ર રીતે ચોંટી રહેવું.
  • દિશાહિનતા અને મૂંઝવણ: ઘરના પરિચિત ખૂણામાં પણ ખોવાઈ જવું, દરવાજાની ખોટી બાજુએ ઊભા રહેવું, અથવા ફર્નિચર સાથે અથડાઈ જવું.
  • ઘરમાં અવ્યવસ્થા કરવી: આદત હોવા છતાં, ઘરની અંદર અચાનક પેશાબ કે મળ છોડવો.

સમય જતાં આ લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે દુખાવો, દ્રષ્ટિ કે સાંભળવાની ખોટ, અથવા અન્ય મેટાબોલિક વિકૃતિઓ પણ સમાન લક્ષણોનું કારણ બની શકે છે, તેથી પશુચિકિત્સક દ્વારા યોગ્ય સારવાર જરૂરી છે.

આ સમય દરમિયાન તેમની સંભાળ કેવી રીતે રાખવી?

જોકે CCD નો કોઈ ઈલાજ નથી, યોગ્ય કાળજી તેની પ્રગતિ ધીમી કરી શકે છે અને શ્વાનના જીવનમાં સુધારો કરી શકે છે.

  • પશુચિકિત્સકની સલાહ લો: અમુક દવાઓ, આહાર પૂરવણીઓ અને યોગ્ય આહાર લક્ષણોમાં સુધારો કરી શકે છે અથવા રોગની પ્રગતિ ધીમી કરી શકે છે. ઉપરાંત, નિયમિત તપાસ કરાવતા રહો.
  • સ્થિર અને સલામત વાતાવરણ: ફર્નિચરની સ્થિતિ બદલશો નહીં. અંધારામાં ઝાંખી લાઇટ ચાલુ રાખો. જો રાત્રે શ્વાનને એકલાતા  બેચેન અનુભવે, તો તેને હળવું સંગીત સાંભાળી શકો છો અથવા રેડિયો વગાડી શકો છો.
  • દિનચર્યા જાળવી રાખો: ભોજન, ચાલવા અને ઊંઘ માટે એક નિશ્ચિત સમયપત્રક જાળવો. પેશાબ અને મળની તાલીમ ફરીથી આપવાની જરૂર પડી શકે છે.
  • માનસિક અને શારીરિક ફેરફારો: સરળ ઇન્ડોર રમતો, ટૂંકી ચાલ અને નવા પણ સલામત રમકડાંનો પરિચય કરાવો. સૌથી અગત્યનું, તેમના પર કોઈ દબાણ ન કરો.
  • સકારાત્મક સંબંધો જાળવી રાખો: તમાર શ્વાન ક્યારેક મૂંઝવણમાં મુકાઈ શકે છે અથવા પરિચિત લોકોને ઓળખવામાં મુશ્કેલી અનુભવી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, પ્રેમાળ અને શાંત વર્તન જરૂરી છે. ઠપકો કે સજા આપવાનું ટાળો.
  • શારીરિક સ્વાસ્થ્ય સંભાળ: દુખાવો, ચેપ અથવા અન્ય બીમારીઓ ડિમેન્શિયાના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. તેમનાથી બચાવવાનો પ્રયાસ કરો.

હવે જરૂર નહિ પડે આધાર કાર્ડ ઝેરોક્ષની UIDAI એ નિયમો બદલ્યા, જાણો સંપૂર્ણ માહિતી, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">