AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભીંડાનો આ રીતે ઉપયોગ કરશો તો બની જશે જડીબુટ્ટી! જાણો ડાયાબિટીસમાં કેવી રીતે છે ફાયદાકારક

ભીંડીમાં વિટામીન, મિનરલ્સ, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે તમારું પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

ભીંડાનો આ રીતે ઉપયોગ કરશો તો બની જશે જડીબુટ્ટી! જાણો ડાયાબિટીસમાં કેવી રીતે છે ફાયદાકારક
How lady finger helps to control sugar in diabetes?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 2:08 PM
Share

આપણે બધાએ ભીંડાનું શાક ખાધું છે. ઘણા લોકોને તેનો અદ્ભુત સ્વાદ ગમે છે. તમે તેને ઇચ્છો તે રીતે બનાવી શકો છો. લોકો ભીંડામાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ભીંડા એક સુપર ફૂડ છે જે ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભીંડામાં વિટામિન બી, વિટામિન સી, ફોલિક એસિડ અને કેલ્શિયમ હોય છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ ડાયાબીટીસના દર્દીઓ માટે ભીંડા કેવી રીતે ફાયદાકારક છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક

શરૂઆતની અવસ્થામાં ભીંડા ખાવા ફાયદાકારક છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકો ભીંડા ખાય છે, તેમનું શુગર લેવલ ઓછું રહે છે. તુર્કીમાં ભીંડાના બીજ શેકેલા હોય છે તેનો ઉપયોગ ઘણા વર્ષોથી ડાયાબિટીસની સારવારમાં થાય છે.

ફાઇબરથી સમૃદ્ધ છે

ભીંડા એક એવી શાકભાજી છે જેમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે, જે ડાયાબિટીસ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે એક એન્ટિ ડયુરેટિક પદાર્થ છે જેમાં ફાઇબર વધારે અને સુગર ઓછું હોય છે. તે ગ્લાયસેમિક નિયંત્રણને પ્રોત્સાહન આપે છે અને ઇન્સ્યુલિન સેન્સેટીવીટીમાં પણ સુધારો કરે છે. ફાઇબરની હાજરીને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી. આ ઉપરાંત, તે પેટની સમસ્યાઓથી રાહત આપે છે.

એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ

ભીંડામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસનો અર્થ માત્ર ખાવા -પીવાનો નથી, તેનો અર્થ એ પણ છે કે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો જેથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો. તણાવ ઘટાડીને, તમે આ રોગોથી બચી શકો છો.

કોલેસ્ટ્રોલ જાળવી રાખે

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે. તેથી, આપણે ખોરાકમાં એન્ટીઓકિસડન્ટ અને ફાઈબરથી સમૃદ્ધ વસ્તુઓ ખાવી જોઈએ. જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે.

આહારમાં ભીંડાનો સમાવેશ કેવી રીતે કરવો

તમે ભીંડાનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તમે તેને ડુંગળી અને ટામેટા સાથે મિક્સ કરીને બનાવી શકો છો.

આ સિવાય ભીંડા કાપીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું પાણી પીવો.

તમે ભીંડાના દાણાને સૂકવી અને પીસી લો. આ પાવડર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

આ પણ વાંચો: Janmashtami 2021: પંચામૃત માત્ર પ્રસાદમાં જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે શ્રેષ્ઠ, જાણો તેના આરોગ્ય લાભો

આ પણ વાંચો: તમારા બાળકને બનાવવું છે તેજસ્વી? આ ફૂડસ તમારા બાળકના મગજને કરશે એકદમ ધારદાર

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">