AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બીમારીમાં જો ખાશો તમારા મનપસંદ બટાકા તો બની જશે ઝેર, સ્વાસ્થ્ય માટે છે અતિ હાનીકારક

બટાકા આપણા સૌને માંપસંદ હશે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે અમુક બીમારીઓમાં બટાકાનું સેવન જોખમી સાબિત થઇ શકે છે. ચાલો જાણીએ તેના વિશે.

આ બીમારીમાં જો ખાશો તમારા મનપસંદ બટાકા તો બની જશે ઝેર, સ્વાસ્થ્ય માટે છે અતિ હાનીકારક
Health tips: If you have this disease then do not eat potato
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 1:57 PM
Share

બટાકા એક એવી શાકભાજી કે જે કોઈ પણ શાક સાથે ભળી જાય છે. જો કે બટાકા એક કંદમૂળ છે. મોટાભાગે દરેક નાસ્તામાં ક્યાંકના ક્યાંક બટાકા જોવા મળે જ. મોટાભાગે આપણા ત્યાં તો એક ટાઈમ બટાકાનું જ શાક બનતું હોય છે. ઘરમાં બીજી કોઈ શાકભાજી ન હોય તો ફક્ત બટાકાવડા કે રસદાર શાક બનાવો તો પણ ચાલે. તે આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

બટાટા આખા વર્ષ દરમિયાન મળે છે. આ બટાકા પોષક તત્વોથી ભરપુર હોય છે, તેથી તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. બટાકામાં સ્ટાર્ચની માત્રા પણ વધુ હોય છે અને તેમાં ચોખા, ઘઉંની જેમ જ જટિલ કાર્બોહાઇડ્રેટ્સ જોવા મળે છે. પરંતુ કેટલાક રોગોમાં બટાટા ખાવા પર પ્રતિબંધ છે.

ડાયાબિટીસના દર્દીઓને બટાટા ખાવાની છે મનાઈ

સુગરના દર્દીઓએ એટલે કે ડાયાબિટીસની ફરિયાદ કરતા લોકોએ બટાકા ના ખાવા જોઈએ કારણ કે બટાટામાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. તેથી જ ડોક્ટર હંમેશા તેમને બટાકા ખાવાની મનાઇ કરે છે. તેનાથી સુગર લેવલ વધી શકે છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોવાનું જાણ થયું હોય, તો તેમને સામાન્ય રીતે તરત જ બટાકાનું સેવન કરવાનું બંધ કરવાની સલાહ આપવામાં આવે છે.

કઈ રીતે વધે છે સુગર લેવલ

જ્યારે તમે કંઈક ખાવ છો, ત્યારે કાર્બ્સ એક સરળ કાર્બોહાઇડ્રેટમાં ફેરવાય છે, જેને ગ્લુકોઝ કહેવામાં આવે છે. જ્યારે તે લોહીમાં જાય છે, ત્યારે સુગરનું સ્તર વધે છે. હવે સામાન્ય લોકોનું શરીર તેને યોગ્ય રીતે ઇન્સ્યુલિન કરીને સુગર લેવલને વધતું અટકાવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓનું શરીર આ કરી શકતું નથી. તેમની સુગર લેવલ વધતાં સમસ્યા વધી જાય છે.

ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ન ખાવા જોઈએ

વરિષ્ઠ ચિકિત્સક ડો. પ્રવીણ સિંહ જણાવે છે કે બટાકા બ્લડ સુગરના સ્તરમાં વધારોનું કારણ બની શકે છે. ખાસ કરીને, ટાઇપ 2 ડાયાબિટીસવાળા (Type 2 Diabetes) લોકોને બટાકા ખાવાની મનાઈ છે. હાઈ ગ્લાયકેમિક ખોરાક હોવાથી તે બ્લડ સુગર નિયંત્રણ (Blood Sugar Control) માટે હાનિકારક માનવામાં આવે છે.

ટાઇપ 2 ડાયાબિટીસવાળા દર્દીઓને તેમના આહારની ખૂબ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે રાત્રિભોજનમાં બટાકા ખાઓ છો, તો પછી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ વધવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તેને રક્તવાહિની રોગ (cardiovascular disease) અને એન્ડોથેલિયલ ડિસફંક્શનના (endothelial dysfunction) જોખમ સાથે જોડીને જોવા મળે છે.

જોકે ડાયાબિટીસના દર્દીઓ અમુક રીતે બટાટાનું સેવન કરી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ તેની મર્યાદામાં સેવન કરવાથી અને તેને યોગ્ય રીતે કરવા વિશે જાગૃત નથી અને તેઓ તેનું પાલન કરી શકતા નથી, તેથી તે ન ખાવાનું વધુ સારું છે.

તે કબજિયાતમાં પણ પ્રતિબંધિત છે

કબજિયાતની સમસ્યાવાળા દર્દીઓને બટાકાના સેવન પર પણ પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિને વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે, તો તેના માટે બટાકા ઝેરથી ઓછા નથી. આવી સ્થિતિમાં તમારે બટાકાનું સેવન ઓછું કરવું જોઈએ જેથી તેનું પાચન સરળ રહે.

બવાસીર (મસા)ના દર્દીઓને બટાકાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. બટાકાનું સેવન કરવાથી તેમની સમસ્યા વધુ વધી શકે છે. તેથી, આવા દર્દીઓએ બટાકાનું સેવન ન કરવું જોઈએ. નહીંતર પછીથી પસ્તાવાનો વારો આવી શકે છે. જો તેઓ બટાકાનું શાક ખાતા હોવ તો પણ, તેઓએ અઠવાડિયામાં ખૂબ જ ઓછા બટાટાનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: વજન ઘટાડે પણ અને વધારે પણ! જાણો જાદુઈ મકાઈના અમૂલ્ય લાભ અને ખાવાની રીત

આ પણ વાંચો: યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">