વજન ઘટાડે પણ અને વધારે પણ! જાણો જાદુઈ મકાઈના અમૂલ્ય લાભ અને ખાવાની રીત

મકાઈ ચોમાસામાં ખુબ ખાવામાં આવે છે. પરંતુ મકાઈ માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. ચાલો આજે તમને જણાવીએ મકાઈના લાભ.

વજન ઘટાડે પણ અને વધારે પણ! જાણો જાદુઈ મકાઈના અમૂલ્ય લાભ અને ખાવાની રીત
Health benefits of corn and how to eat it
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:34 AM

આપણે મકાઈનું સેવન મોટે ભાગે સાંજના નાસ્તામાં કરીએ છીએ. ઘણા લોકો સૂપ, સલાડ વગેરેમાં મકાઈનો ઉપયોગ કરે છે. તમે તેનો સવારના નાસ્તા, લંચ અને ડિનરમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ઘરનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આણે આહારમાં સમાવી શકે છો.

મકાઈમાં (Corn) ફાઇબર ભરપૂર હોય છે જે કબજિયાતથી રાહત પૂરી પાડે છે. ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરેલી હોય છે. તમે વિવિધ વાનગીઓ બનાવવા માટે મકાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને આપણે તેને આપણા આહારમાં કેવી રીતે સમાવી શકીએ.

પાચન સુધારે છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મકાઈમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે જે આપણા પાચનમાં વધારો કરવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યા નથી. તેમજ તમારું પેટ સાફ રાખે છે.

આ રીતે વજન ઓછું થાય છે

ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને તમને જલ્દી ભૂખ લગતી નથી. તેમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. મકાઈમાં સ્ટાર્ચ ભરપુર માત્રામાં હોય છે. જેઓ વજન ઓછું કરવા માંગે છે, તેઓએ ઓછી માત્રામાં મકાઈનું સેવન કરવું જોઈએ.

વજન વધારવામાં મદદ કરે છે

જેમને વજન વધારવું છે, તેઓએ મકાઈનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં સ્ટાર્ચ હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે. જો કે, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે, તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં બ્લડ શુગર વધે છે.

આંખની રોશની વધે છે

મકાઈના પીળા દાણામાં લ્યુટિન હોય છે જે મોતિયાની સમસ્યાને અટકાવે છે. આ સિવાય રોજ તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશનીમાં વધારો થાય છે.

શરીરને મજબૂત બનાવે છે

મકાઈમાં આયર્ન, વિટામિન એ, થાઇમિન, વિટામિન બી-6, જસત, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

આહારમાં આ રીતે શામેલ કરો

મકાઈના ભાત

તમે મકાઈના દાણાને પ્રેશર કૂકરમાં બાફીને ચોખામાં ભેળવીને રસોઇ કરી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસનો ઉપયોગ કરી શકો છો. તમે તેને બપોરે ખાઈ શકો છો.

મકાઈનું કચુંબર

એક કપમાં બાફેલી મકાઈના દાન બહાર કાઢો. એક ટામેટું, એક નાની ડુંગળી, એક ચમચી માખણ, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને કાળી મરીને તેમાં ભેળવી દો. તેને કોથમીરથી સજાવો. આ સાંજનાં નાસ્તા માટે સંપૂર્ણ રેસીપી છે.

આ પણ વાંચો: સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

આ પણ વાંચો: Health Tips: ચોમાસામાં દેશી ખજૂર ખાવાથી અનેક રોગોને દુર રાખી શકો છો, જાણો ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">