યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત

યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન રહેલું છે. જો તમારે પણ યુરિનના બદલાઈ રહેલા રંગની સમસ્યા છે તો જરા પણ બેદરકારી રાખ્યા વગર ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત
Change in the color of urine is a sign of these diseases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:48 AM

શરીરના મોટાભાગના ટોક્સિક પદાર્થ પેશાબ (Urine) દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો લોકોને વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. જો તમે શરીરની જરૂરિયાત મુજબ પાણી પીતા હોવ તો યુરિન સામાન્ય રંગમાં (Color of Urine) આવે છે, જ્યારે ઓછું પાણી પીવાથી યુરિનનો રંગ બદલાઈ જાય છે.

સામાન્ય રીતે યુરિનનો પીળો રંગ ડિહાઇડ્રેશનની (Dehydration) નિશાની છે. પરંતુ આ સિવાય, જો તમને યુરિનમાં કોઈ અન્ય રંગનું પરિવર્તન દેખાય છે, તો બેદરકાર ન રહો. તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે. કારણ કે તે કેટલાક રોગના લક્ષણ પણ હોઈ શકે છે. તેના વિશે અહીં જાણો.

લાલ અથવા ગુલાબી

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જો તમે ખોરાકમાં બીટરૂટ ખાઓ છે, તો પછી તેની અસરને કારણે યુરિનનો રંગ ગુલાબી અથવા લાલ જોવા મળી શકે છે. પરંતુ જો તમે બીટરૂટ નથી ખાધા તેમ છતાં યુરિન ગુલાબી અથવા લાલ દેખાય છે, તો પછી આ કિડની, ગાંઠ અથવા મૂત્ર માર્ગમાં ચેપની નિશાની હોઈ શકે છે.

વાદળી અથવા લીલો

જો લીલી અથવા વાદળી રંગ કોઈ દવા અથવા ખાદ્ય ચીજોને કારણે યુરિનનો રંગ એવો આવે છે તો તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ જો તેવું નથી, તો આ પોરફાઈરિયા અથવા બ્લુ ડાયપર સિન્ડ્રોમ જેવા દુર્લભ રોગના લક્ષણ હોઈ શકે છે. જે લોકોને કિડની સંબંધિત કોઈપણ સમસ્યા છે અને તેઓ તેના માટે દવાઓ લઈ રહ્યા છે, તેમના માટે પણ આ સ્થિતિ જોખમી બની શકે છે.

દૂધિયો અથવા સફેદ

સામાન્ય રીતે, યુરિનમાં 95 ટકા પાણી હોય છે અને બાકી ખનિજો, યુરિક એસિડ વગેરેથી બનેલું હોય છે. પરંતુ જો તમને દૂધિયું સફેદ યુરિન જોવા મળી રહ્યો છે, તો શક્ય છે કે પેશાબ સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે ખનિજો વધુ પડતા બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ

ઘેરો બદામી અથવા કાળો

જો તમે લાંબા સમયથી કુંવારપાઠાનું સેવન કરી રહ્યાં છો અથવા કાવા બીન્સ લઈ રહ્યા છો, તો પછી પેશાબનો રંગ ઘેરો બદામી અથવા કાળો હોઈ શકે છે. આ સિવાય કોઈ ખાસ દવા પણ તેના બદલાતા રંગનું કારણ હોઈ શકે છે. પરંતુ જો આ બધા કારણ વગર પણ તમને આ સમસ્યા છે, તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે કારણ કે આ આનુવંશિક મેટાબોલિક ડિસઓર્ડર બ્લેક બોર્નને કારણે થઈ શકે છે. તેમાં પેશાબ થયા બાદ તેનો રંગ કાળો થઈ જાય છે અથવા આ મેલાનોમાને કારણે પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Best for Health: સવારના આ 5 હેલ્ધી નાસ્તા રાજાની જેમ કરશો, તો રાજાની જેમ જ જશે આખો દિવસ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">