AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ક્યારેય નહીં થાય ડાયાબિટીસની બિમારી, આજે જ છોડી દો આ 4 આદતો

આજકાલ શહેરી વિસ્તારના લોકોને મોડે સુધી સૂવાની આદત પડી ગઈ છે. લોકો 12 વાગ્યા પહેલા ઊંઘતા નથી. મોડે સુધી સૂવાથી શરીરની બાયોલોજિકલ ક્લોક બરાબર કામ કરતી નથી. જેના કારણે શરીરમાં અમુક હોર્મોનલ અસંતુલન થવા લાગે છે. જેના કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો ઘણો વધી જાય છે.

Diabetes: ક્યારેય નહીં થાય ડાયાબિટીસની બિમારી, આજે જ છોડી દો આ 4 આદતો
Diabetes causes
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:10 PM
Share

Diabetes: ભારતના શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસ રોગચાળાની જેમ ફેલાઈ રહ્યો છે. આ રોગનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. હવે એ પણ જૂની વાત થઈ કે આ રોગ વૃદ્ધાવસ્થામાં જ થાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે શરૂઆતના લક્ષણોમાં જ ડાયાબિટીસને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. નહિંતર, વધતી ઉંમર સાથે તે ઘણા અંગો પર અસર કરી શકે છે, આ કિસ્સામાં તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે કઈ આદતોને છોડીને તમે તમારી જાતને ડાયાબિટીસથી બચાવી શકો છો.

આ પણ વાંચો: World Asthma Day: ઉનાળામાં વધી શકે છે અસ્થમા, આ 5 વસ્તુઓથી બચો

એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ.સ્વપ્નીલ જૈન ડાયાબિટીસથી બચવા આ ચાર આદતો બદલવાની સલાહ આપે છે

મોડું સૂવાની આદત

આજકાલ શહેરી વિસ્તારના લોકોને મોડે સુધી સૂવાની આદત પડી ગઈ છે. લોકો 12 વાગ્યા પહેલા ઊંઘતા નથી. મોડે સુધી સૂવાથી શરીરની બાયોલોજિકલ ક્લોક બરાબર કામ કરતી નથી. જેના કારણે શરીરમાં અમુક હોર્મોનલ અસંતુલન થવા લાગે છે. જેના કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો ઘણો વધી જાય છે. આવી સ્થિતિમાં લોકોને સૂવાનો અને જાગવાનો સમય યોગ્ય રાખવાની સલાહ આપવામાં આવે છે. દરરોજ રાત્રે 11 વાગ્યા પહેલા સૂવાનો પ્રયત્ન કરો.

આહારને યોગ્ય કરો

આજકાલ લોકોમાં ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે. આ પ્રકારનો ખોરાક શરીર માટે હાનિકારક છે. સમય જતાં આવા ખોરાકથી ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં સારો આહાર લેવો જરૂરી છે. દરરોજ તમારા આહારમાં પ્રોટીન અને વિટામિનનો સમાવેશ કરો. વધુ ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળો.

ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન

ઘણા લોકો ખૂબ ધૂમ્રપાન કરે છે અને દારૂનું સેવન પણ વધારે હોય છે. સંશોધન સૂચવે છે કે આલ્કોહોલનું વધુ પડતું સેવન ડાયાબિટીસનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં લોકોએ આ વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે સંપૂર્ણપણે છોડી શકતા નથી તો ધીમે ધીમે સેવન ઓછું કરો.

કસરત ન કરવાની ટેવ

લોકો તેમના વ્યસ્ત જીવનને કારણે કસરત કરી શકતા નથી, પરંતુ તેનાથી ઘણું નુકસાન થાય છે. તમારે તમારી કસરત ન કરવાની આદત છોડવી પડશે. જો તમે દિવસમાં 15 મિનિટ કસરત કરો છો તો પણ તેને તમારા દિનચર્યાનો ભાગ બનાવો. કારણ કે દરરોજ કસરત કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ ઓછું રહે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">