AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Asthma Day: ઉનાળામાં વધી શકે છે અસ્થમા, આ 5 વસ્તુઓથી બચો

વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે 2 મેના રોજ લોકોને અસ્થમાના ખતરનાક રોગ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, અસ્થમા એ એક એવી સ્થિતિ છે જે ફેફસામાં વાયુમાર્ગને અસર કરે છે.

World Asthma Day: ઉનાળામાં વધી શકે છે અસ્થમા, આ 5 વસ્તુઓથી બચો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 8:00 AM
Share

ઉનાળાની ઋતુની ગરમી અસ્થમાથી પીડિત લોકોની સમસ્યાઓમાં વધુ વધારો કરી શકે છે. ઉનાળામાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ વધી જાય છે, જેના કારણે અસ્થમાના દર્દીઓની હાલત ખરાબ થઈ શકે છે. તેથી જ અસ્થમાના દર્દીઓએ ઘરની અંદર રહેવું જોઈએ અને સારી હવા હોય ત્યારે જ બહાર જવું જોઈએ. ગરમ હવાના કારણે અસ્થમાના દર્દીઓને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે.

આ પણ વાચો: શ્વાસ લેવામાં થતી તકલીફને હળવાશમાં ન લો, તે અસ્થમા અને બ્રોન્કાઇટિસનું પણ લક્ષણ હોય શકે છે

વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે 2 મેના રોજ લોકોને અસ્થમાના ખતરનાક રોગ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર અસ્થમા એ એક એવી સ્થિતિ છે જે ફેફસામાં વાયુમાર્ગને અસર કરે છે. જો કોઈ વ્યક્તિને અસ્થમા હોય તો તેના વાયુમાર્ગમાં પણ સોજો આવી શકે છે. જ્યારે તમે અસ્થમાની સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો છો, ત્યારે તે તમારા વાયુમાર્ગમાંથી હવાનું વહેણ મુશ્કેલ બનાવે છે. આવો જાણીએ ઉનાળામાં કઈ વસ્તુઓથી બચવું જોઈએ.

હાઈ હ્યુમિડિટી

ઉનાળાની ઋતુમાં હવામાં ઘણાં પ્રદૂષકો હોય છે, જેના કારણે અસ્થમાના દર્દીઓ માટે શ્વાસ લેવાનું પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં તેઓ તેમની છાતીમાં દબાણ અનુભવી શકે છે. એટલા માટે અસ્થમામાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વાયુ પ્રદૂષણ

વાયુ પ્રદૂષણમાં શ્વાસમાં લેવું દરેક માટે જોખમી બની શકે છે. ખાસ કરીને જ્યારે અસ્થમાના દર્દીઓ પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, ત્યારે ફેફસાના કાર્યને અસર થઈ શકે છે. જેના કારણે અસ્થમાનો હુમલો થવાનો ખતરો રહે છે.

તાવ

ઉનાળાની ઋતુમાં અનેક પ્રકારની એલર્જી થવાની પણ શક્યતા રહે છે. આના કારણે તાવ આવી શકે છે અને અસ્થમા વધુ વકરવાની શક્યતા છે.

કીડાનું કરડવું

જંતુના કરડવાથી એલર્જીક પ્રતિક્રિયા પણ થઈ શકે છે, જે અસ્થમાના લક્ષણોને ટ્રિગર થઈ શકે છે.

વ્યાયામ

દવાઓ અને સાવચેતીઓની મદદથી કસરત કરવી અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં કસરત કરવાથી અસ્થમાના હુમલાની શક્યતાઓ પણ વધી જાય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">